India Vs South Africa : મધ્યપ્રદેશના આ બેટ્સમેને આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 29 વર્ષીય રજત (Rajat Patidar) બાળપણમાં બોલર બનવા માંગતો હતો.રણજી ટ્રોફીની ફાઇનલમાં સદી સહિત તે સિઝનના સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક હતો. આ સાથે તેણે આઈપીએલ (IPL)માં બેંગ્લોર તરફ રમ્યો હતો. આ સિવાય તાજેતરમાં ભારત A એ ન્યુઝીલેન્ડ A સામે બે ODI રમી છે. રજત પાટીદાર અત્યાર સુધીમાં 45 લિસ્ટ A (ODI) મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે અંદાજે 35 ની સરેરાશથી 1462 રન બનાવ્યા છે અને 3 સદી ફટકારી છે.
પાટીદારનો જન્મ 1 જૂન 1993ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તે એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તે એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો તેણે બોલર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને તેના U-15 સ્તર પછી બેટિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે જમણા હાથનો ટોપ ઓર્ડર બેટર અને ઓફ સ્પિનર છે.
તેણે 2015-16 રણજી ટ્રોફીમાં 30 ઓક્ટોબરના રોજ ડેબ્યું કર્યું હતુ અને 8 જાન્યુઆરી 2018ના રોજ 2017-18 ઝોનલ ટી20 લીગમાં મધ્ય પ્રદેશ માટે ટ્વેન્ટી20માં પદાર્પણ કર્યું હતું.તે 2018-19 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે 8 મેચમાં 713 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ઓગસ્ટ 2019માં તેને 2019-20 દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા બ્લુ ટીમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.ફેબ્રુઆરી 2021માં ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા IPLની હરાજીમાં પાટીદારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. 25 મે 2022 ના રોજ, 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એલિમિનેટર મેચમાં, પાટીદારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 49 બોલમાં સદી ફટકારી હતી.
તમને જણાવી દઈએ કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરથી ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ લખનૌના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી મેચ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.ધવન એન્ડ કંપની પાસે દક્ષિણ આફ્રિકાને વન-ડે સિરીઝ જીતવાથી રોકવાનો મોટો પડકાર છે. આમ ગબ્બર સાઉથ આફ્રિકા સામે વન ડે સિરીઝને જીતવા માટે પુરો દમ લગાવી દેવો પડશે.
Published On - 2:47 pm, Thu, 6 October 22