IND vs SA Playing XI Prediction: શાનદાર રમત છતાં પણ આ ખેલાડી રહેશે બહાર, આ ખેલાડી આવશે અંદર?

|

Oct 11, 2022 | 9:59 AM

IND Vs SA 3rd ODI Playing 11: શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે 11 ઓક્ટોબર, મંગળવારે દિલ્હીમાં રમાવાની છે, જ્યાં શ્રેણીના વિજેતાનો નિર્ણય થશે.

IND vs SA Playing XI Prediction: શાનદાર રમત છતાં પણ આ ખેલાડી રહેશે બહાર, આ ખેલાડી આવશે અંદર?
કેવી હશે Playing XI?

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની બેન્ચ સ્ટ્રેન્થ, જેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે, જેની છેલ્લા 2-3 વર્ષમાં ઘણી ચર્ચા થઈ છે, તે રાંચીમાં બતાવવામાં આવ્યું હતું. 9 ઓક્ટોબર, રવિવારના રોજ દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં, જ્યારે ટીમ ઈન્ડિયા (Team India) ને શ્રેણીમાં ટકી રહેવા માટે જીતની જરૂર હતી, ત્યારે ભારતના તે ખેલાડીઓ જેઓ મુખ્ય ટીમમાં સાતત્યપૂર્ણ સ્થાન બનાવી શક્યા નહોતા, તેઓએ શાનદાર પ્રદર્શન કરીને વિજય અપાવ્યો. આ જ ખેલાડીઓના આધારે શિખર ધવન (Shikhar Dhwan) ની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ હવે શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે. જોકે સવાલ એ છે કે શું દિલ્હીમાં રમાનારી છેલ્લી વનડેમાં કોઈ ફેરફાર થશે?

લખનૌ અને રાંચી બાદ સીરિઝની ત્રીજી અને છેલ્લી વનડે મેચ મંગળવારે 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. સાઉથ આફ્રિકાએ લખનૌમાં જ્યારે રાંચીમાં શ્રેયસ અય્યરની સદી, ઈશાન કિશનના શાનદાર 93 અને મોહમ્મદ સિરાજની 3 વિકેટના આધારે ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. તેથી હવે નિર્ણય લેવાનો સમય છે.

બિશ્નોઈ પાછો ફરશે!

ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદને પ્લેઈંગ ઈલેવનમાં તક આપીને ચોંકાવી દીધા હતા. જોકે, બંને ખેલાડીઓએ વધુ સારું પ્રદર્શન કરીને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું. આવી સ્થિતિમાં બંનેને ત્રીજી મેચમાં પણ મેદાનમાં ઉતારવાનું નિશ્ચિત છે. જો કે ટી-20 વર્લ્ડ કપ પહેલા રવિ બિશ્નોઈને તૈયારીની તક આપવા માટે ત્રીજી મેચમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે અને કુલદીપ યાદવને આ મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગાયકવાડને મળશે તક?

સવાલ એ છે કે ઋતુરાજ ગાયકવાડને ફરી તક મળશે? પ્રથમ મેચની નિષ્ફળતા બાદ તેને બહાર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેને તક મળશે કે નહીં, તેની નજર તેના પર રહેશે. જો કે, તેને અહીં તક મળી શકે છે અને શ્રેયસ અય્યર આ માટે જગ્યા ખાલી કરી શકે છે. સતત બે મેચમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ શ્રેયસને આરામ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ગાયકવાડને વધુ એક તક મળવાની આશા છે.

 

ભારતની સંભવિત પ્લેઈંગ 11

શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, ઋતુરાજ ગકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ

Published On - 9:57 am, Tue, 11 October 22

Next Article