
ભારતીય ટીમે લગાતાર બીજી મેચ ટી20 વિશ્વકપ (T20 World Cup 2022) માં જીતી લીધી છે. આમ ભારતીય ટીમ ની શરુઆત ટૂર્નામેન્ટમાં શાનદાર રહી છે. ભારત અને નેધરલેન્ડ (India vs Netherlands) વચ્ચે સિડનીમાં સુપર-12 ની મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે (Indian Cricket Team) રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદીની રમત વડે 179 રનનો સ્કોર ખડક્યો હતો. જવાબમાં નેધરલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ઘૂંટણીયે થઈ ગઈ હતી.
ભારતના બોલરોએ ફરી એક વાર કહેર વર્તાવતી બોલીંગ કરી હતી. નેધરલેન્ડના બેટ્સમેનોને ક્રિઝ પર ઉભા રહેવુ મુશ્કેલ બનાવી દીધુ હતુ. શરુઆતથી જ નેધરલેન્ડની ટીમની વિકેટો પડવાનો સિલસિલો શરુ થયો હતો.
મેલબોર્નની શાનદાર મેચ બાદ ટીમ ઈન્ડિયાને સિડનીમાં નેધરલેન્ડના પડકારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ મેચમાં હાર્યા બાદ નેધરલેન્ડ માટે આ મેચ બિલકુલ સરળ ન હતી, પરંતુ ટીમના બોલરોએ અપેક્ષા કરતા સારી શરૂઆત કરી હતી. ભારતના ટોપ ઓર્ડરને પ્રથમ 10 ઓવરમાં મુક્તપણે સ્કોર કરવાની તક મળી ન હતી.
અક્ષર પટેલ, ભૂવનેશ્વર, અશ્વિન અને અર્શદીપ સિંહે શાનદાર બોલીંગ આક્રમણ કર્યુ હતુ. એક બાદ એક બોલરોએ પોતાના સ્પેલમાં રીતસરનો કહેર વર્તાવતી ઓવર કરી હતી. જેઓ દરેક વખતે વિકેટ ઝડપતા રહેતા ભારતીય ટીમનો શાનદાર વિજય સુનિશ્ચિત થઈ ગયો હતો.
ભૂવનેશ્વર કુમારે વિક્રમજીતસિંહની વિકેટ ઝડપ્યા બાદ અક્ષર પટેલે પણ એક બાદ એક એમ બે સફળતા મેળવી હતી. અક્ષરે મેક્સ ઓવડ અને બસ ડી લિડેની વિકેટ ઝડપી હતી. આમ નેધરલેન્ડની શરુઆત જ ખરાબ બંનેએ કરી દીધી હતી. બાદમાં અશ્વિને મીડલ ઓર્ડરને ઝડથી પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આમ ભારતની જીત મધ્યઓવરોમાં જ નિશ્ચિત થઈ ગઈ હતી. ત્યાર બાદ શમી અને અર્શદીપ સિંહે પણ જબરદસ્ત બોલીંગ કરી હતી. અર્શદીપ સિંહે એક જ ઓવરમાં બે વિકેટ લઈને નેધરલેન્ડની મુશ્કેલીમાં વધુ એક ઘા માર્યો હતો.
ભૂવીએ 3 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી અને માત્ર 9 રન આપ્યા હતા. જેમાં 2 ઓવર મેડન નિકાળી હતી. અર્શદીપ સિંહ ખૂબ ખર્ચાળ રહ્યો હતો. પરંતુ તેણે 2 વિકેટ ઝડપી હતી. શમીએ 4 ઓવરમાં 27 રન ગુમાવી 1 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે 4 ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા. જેની સામે તેણે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને 2 વિકેટ ઝડપવા સામે 21 રન ગુમાવ્યા હતા. હાર્દિકે માત્ર એક ઓવર કરી હતી, જેમાં 9 રન ગુમાવ્યા હતા.
Published On - 3:57 pm, Thu, 27 October 22