IND vs IRE: જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામે પુનરાગમન કરતા પહેલા કારકિર્દી ખતમ થવાની વાત કેમ કરી?

|

Aug 18, 2023 | 11:55 AM

ભારત અને આયર્લેન્ડ વચ્ચે શુક્રવારે મલેહાઈડમાં પ્રથમ T20 મેચ રમાશે. આ મેચ ખૂબ જ ખાસ છે કારણ કે લાંબા સમય બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મેદાનમાં ઉતરવા જઈ રહ્યો છે. બુમરાહ T20 ટીમનો કેપ્ટન છે અને તેના પર જીતની સાથે પોતાને સાબિત કરવાની જવાબદારી છે.

IND vs IRE: જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામે પુનરાગમન કરતા પહેલા કારકિર્દી ખતમ થવાની વાત કેમ કરી?
Jasprit Bumrah

Follow us on

બૂમ-બૂમ બુમરાહ, ફરી એકવાર આ નામ ક્રિકેટના મેદાન પર ગુંજવા માટે તૈયાર છે. આ જમણા હાથનો ઝડપી બોલર લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) લાંબા સમયથી ઈજાગ્રસ્ત હતો અને હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે. તેની પુનરાગમન મેચ આયર્લેન્ડ (Ireland) સામે થશે જે શુક્રવારે મલેહાઈડમાં રમાશે.

બુમરાહે પ્રેસ કોન્ફરન્સમાં કહી વાત

આ મેચ પહેલા જસપ્રીત બુમરાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કમબેક મેચ પહેલા તેણે એવી વાત કહી જે ઘણા ખેલાડીઓ માટે બોધપાઠ સમાન છે. બુમરાહની આ વાત એવા ખેલાડીઓને પ્રેરણા આપશે જેમણે ઈજાને કારણે હાર માની લીધી છે. જસપ્રીત બુમરાહે આયર્લેન્ડ સામેની મેચ પહેલા મીડિયાને કહ્યું હતું કે તે ક્યારેય આટલા લાંબા સમયથી ક્રિકેટથી દૂર નથી રહ્યો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

બુમરાહે ક્યારેય હિંમત હારી નથી

બુમરાહે કહ્યું કે ઈજામાંથી બહાર આવીને તેણે ક્યારેય હતાશાને પોતાના પર હાવી થવા દીધી નથી. આ ખેલાડીએ ક્યારેય તેની ઈજાને ખરાબ તબક્કા તરીકે લીધી નથી. બુમરાહે કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે.

બુમરાહ તૈયાર છે

જસપ્રીત બુમરાહે કહ્યું કે તે હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે પહેલા કરતા વધુ તાજગી અનુભવી રહ્યો છે. નેટ્સમાં બોલિંગ કરતી વખતે પણ તેણે આનો પુરાવો બતાવ્યો. તેણે યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ફોર્મમાં રહેલા ખેલાડીઓને તેના યોર્કર અને બાઉન્સરોથી પરેશાન કર્યા હતા. બુમરાહે સ્પષ્ટ કહ્યું કે તે T20 મેચની નહીં પરંતુ વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે. ODI ફોર્મેટના સંદર્ભમાં તે હંમેશા નેટ્સમાં બોલિંગ કરતો હતો.

આ પણ વાંચો : IND vs IRE: ODI સિઝનમાં T20 મુકાબલો, આયર્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનું ‘ભવિષ્ય’ દાવ પર

બુમરાહે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાની જરૂર

જસપ્રીત બુમરાહ ભલે ફિટ હોય પરંતુ તેમ છતાં તેણે પોતાના શરીર પર ધ્યાન આપવાની જરૂર છે. બુમરાહ પહેલા પણ કમબેક કર્યા બાદ તુરંત ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે. આયર્લેન્ડ શ્રેણી પછી તરત જ, ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં ભાગ લેવાની છે અને તે પછી ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી અને પછી વર્લ્ડ કપ છે. આ સ્પર્ધાઓને જોતા બુમરાહે પોતાની ફિટનેસનું સ્માર્ટ રીતે ધ્યાન રાખવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:50 am, Fri, 18 August 23

Next Article