ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી વન ડે શ્રેણીની શરુઆત થઈ રહી છે. ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડી રહી છે. જેમાં શરુઆત વન ડે શ્રેણીની થઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રવાસની પ્રથમ મેચ ઢાકમાં રમાનાર છે. શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને સામને થશે. વિશ્વકપની તૈયારીઓની નજરથી પણ આ પ્રવાસને જોવામાં આવી રહ્યો છે. હાલમાં જ ટી20 વિશ્વકપ સમાપ્ત થયો છે અને હવે દુનિયાભરની ક્રિકેટ ટીમોનુ ધ્યાન હવે ભારતમાં રમાનારા વન ડે વિશ્વકપ 2023 પર રહેશે.
બંને દેશો વચ્ચે વન ડે ઉપરાંત બે ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમાનારી છે. જે ભારતીય ટીમને માટે મહત્વની છે. ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે આ બંને ટેસ્ટ મેચોને જીતી લેવા માટે દમ લગાવશે. ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસના કાર્યક્રમ પર અહીં એક નજર કરીશું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રવાસ દરમિયાન 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. ભારતીય ટીમ વન ડે શ્રેણીને વિશેષ ફોકસ રાખીને પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. કારણ કે ભારતીય ટીમને ઘર આંગણે રમાનારા વિશ્વકપને પોતાના હાથોમાં ઉઠાવવાની આશા છે. ભારતીય ક્રિકેટના ચાહકો પણ ટી20 બાદની નિષ્ફળતા બાદ હવે વન ડે વિશ્વકપ પર નજર લગાવી બેઠા છે.
ત્રણેય મેચો ભારતીય સમયાનુસાર સવારે 11.00 કલાકે શરુ થનારી છે.
આગામી વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. ચેમ્પિયનશિપના 2021-2023ના ચક્રની ફાઈનલને લઈ ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાનની 2 ટેસ્ટ મેચ મહત્વની રહેનારી છે. ભારતીય ટીમ બંને ટેસ્ટ મેચોને જીતીને ફાઈનલમાં પહોંચવાની નજીક જવા પ્રયાસ કરશે. બંને મેચોની જીત ભારતીય ટીમના ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચવાની તકને મજબૂત કરી શકે છે. જે મેચો ભારતીય સમયાનુસાર સવારે 9.00 કલાકે શરુ થનારી છે.