T20 world cupમાંથી અશ્વિન કરતાં બમણી વિકેટ લેનાર બોલર OUT, આ કેવો ન્યાય?
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે અને તેમાં રવિચંદ્રન અશ્વિનને જગ્યા મળી છે, પરંતુ એક ખેલાડીને પસંદગીકારોના નજરઅંદાજનો સામનો કરવો પડ્યો છે.
1 / 5
ઓસ્ટ્રેલિયમાં 16 ઓક્ટોમ્બરથી શરુ થઈ રહેલા T20 world cup માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ભારતે ત્રણ સ્પિનરની પસંદગી કરી છે. જેમાં એક અનુભવી સ્પિનર રવિચંદ્ન અશ્વિન છે પરંતુ એક સ્પિનરને ટીમમાં સ્થાન મળ્યું નથી. જે કોણ છે તે અને તેનું નામ અશ્વિનથી વધુ વિકેટ લેવા માટે કેમ કહેવામાં આવે છે ચાલો જાણીએ (File Pic)
2 / 5
આ સ્પિનર છે રવિ બિશ્નોઈ, જો છેલ્લા ટી 20 વર્લ્ડકપથી લઈ અત્યારસુધી ટી20 ઈન્ટરનેશનલ પ્રદર્શનને જોયે તો બિશ્રોઈએ અશ્વિનથી વધુ વિકેટ લીધી છે. તેમણે આ દરમિયાન 10 ટી20 મેચ રમી છે અને 16 વિકેટ લીધી છે. (File Pic)
3 / 5
છેલ્લા ટી20 વર્લ્ડકપને લઈ અત્યારસુધી અશ્વિનનું પ્રદર્શનને જોઈએ તો તેમણે 7 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી છે અને 8 વિકેટ લીધી છે. બિશ્નોઈ આ મામલે અશ્વિનથી આગળ છે તેમ છતાં તેમણે ટી20 વર્લ્ડકપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. (File Pic)
4 / 5
છેલ્લા ટી 20 વર્લ્ડકપથી લઈ અત્યારસુધીના પ્રદર્શનમાં યુઝવેન્દ્ર ચહલ નંબર-1 સ્પિનર છે. આ લેગ સ્પિનરે અત્યારસુધી 17 મેચ રમી છે અને 20 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.(File Pic)
5 / 5
રવિન્દ્ર જાડેજાના સ્થાને વર્લ્ડકપ ટીમમાં આવેલા અક્ષર પટેલ આ મામલે ત્રીજા સ્થાન પર છે. ગત્ત વર્લ્ડકપથી લઈ અત્યારસુધી અક્ષર પટેલે 14 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને 12 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.(File Pic)