નવી દિલ્હીમાં ગુરુવારે 30 નવેમ્બરે પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા T20 અને ODI ફોર્મેટ માટે ઉપલબ્ધ રહેશે કે કેમ અને જો આમ હોય તો શું તે T20માં ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે કે કેમ તેના પર મોટાભાગની નજર હતી. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોર્ડ આવતા વર્ષે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિતને કેપ્ટન તરીકે ચાલુ રાખવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આવું થઈ શક્યું નહીં.
ODI: રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.
વર્ષ 1991થી 2023 વચ્ચે ભારત-સાઉથ આફ્રીકા વચ્ચે 91 વનડે મેચ રમાઈ છે. જેમાંથી સૌથી વધારે સાઉથ આફ્રીકા ક્રિકેટ ટીમે 50 વનડેમાં અને ભારતીય ટીમે 38 વનડેમાં જીત મેળવી છે. 3 મેચ પરિણામ વગરની રહી હતી.
Notes
· Mr Rohit Sharma and Mr Virat Kohli had requested the Board for a break from the white-ball leg of the tour.
· Mr Mohd. Shami is currently undergoing medical treatment and his availability is subject to fitness.#SAvIND— BCCI (@BCCI) November 30, 2023
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીસીસીઆઈને વાઈટ બોલ ક્રિકેટ એટલે કે વનડે-ટી20 સીરિઝમાંથી બ્રેકની માંગણી કરી હતી. જેને કારણે તેમને ટી20 અને વનડે સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
T20: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અરશરાજ, મોહમ્મદ સિંહ મુકેશ કુમાર, દીપક ચહર.
ટેસ્ટઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ શમી (જો ફિટનેસ સાબિત થાય તો)
આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત
Published On - 8:15 pm, Thu, 30 November 23