
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

જોકે, 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર-12 રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમને પ્રથમ બે મેચમાં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા તેને પાકિસ્તાને હરાવ્યો અને પછી ન્યુઝીલેન્ડે તેને હરાવી તેનું ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું.

વિરાટ કોહલી (Virat Kohli) સોમવાર, 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે T20 ક્રિકેટમાં છેલ્લી વખત ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે, જે આ ફોર્મેટમાં કોઈપણ ટીમ માટે કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ હશે.