ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે બીજી વન ડે કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રીલંકન ઓપનરો આવિષ્કા ફર્નાન્ડો (Avishka Fernando) અને મિનોદ ભાનુકાએ સારી શરુઆત કરી હતી. ટીમ ઈન્ડીયાએ બીજી વન ડેને રોમાંચક સ્થિતી વચ્ચે ભારતે જીતી લીધી હતી. શિખર ધવન, પૃથ્વી શો અને ઈશાન કિશનની વિકેટો ઝડપથી ગુમાવતા મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી.
ભારતીય ટીમ એક સમયે મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી હતી. શ્રીલંકને ડ્રેસીંગ રુમમાં વિજયી ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પંરતુ દિપક ચાહર અને ભૂવનેશ્વર કુમારે બાજી પલ્ટીને ફરીથી ભારતને રોમાંચક રીતે મેચમાં પરત લાવી દીધુ હતુ. દિપક ચાહર અને વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમારે શાનદાર રમત રમી હતી.
ભારતીય ટીમ 276 રનના પડકારનો પીછો કરવાની શરુઆતથી જ મુશ્કેલ સ્થિતીમાં રહી હતી. ભારતે પ્રથમ વિકેટ 28 રનના સ્કોર પર ગુમાવી હતી. પૃથ્વી શોના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 13 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન કિશનની વિકેટ ભારતે 39 રને પાંચમી ઓવરમાં ગુમાવી હતી. ઈશાન 1 જ રન નોંધાવી શક્યો હતો. કેપ્ટન શિખર ધવન 29 રન કરીને પેવિલિયન પરત ફર્યો હતો.
મનિષ પાંડે સેટ થયા બાદ કમનસીબે રન આઉટનો ભોગ બન્યો હતો. તેણે 31 બોલમાં 37 રન કર્યા હતા. સૂર્યકુમારે 44 બોલમાં 53 રન કર્યા હતા. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફીફટી હતી. હાર્દિક પંડ્યા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે કૃણાલ પંડ્યાએ 35 રનની ઈનીંગ રમી હતી. તેની પર જીતનો ભરોસો માનવામાં આવતો હતો. જોકે દિપક ચાહરે મુશ્કેલ સ્થિતીની જવાબદારી પોતાના ખભે સ્વિકારી હતી. તેણે અણનમ 69 રન બનાવ્યા હતા. જ્યારે ભૂવનેશ્વરે 19 રન બનાવ્યા હતા.
વાનીન્દુ હસારંગાએ 10 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી, જે ત્રણેય વિકેટો મોટી હતી. જેનાથી જ ભારત સતત મુશ્કેલ સ્થિતી અનુભવી રહ્યુ હતુ. લક્ષન સંદાકને 10 ઓવરમાં 71 રન આપી એક વિકેટ ઝડપી હતી. દશ્મંથા ચામિરાએ 10 ઓવર કરીને 65 રન આપ્યા હતા. આ ઝડપી બોલરને એક પણ વિકેટ મળી શકી નહોતી. દાસુન શનાકાએ 3 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી.
ભારતે 3 વિકેટે શ્રીલંકા સામે વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે શ્રીલંકા સામેની શ્રેણીને જીતી લીધી હતી. એક સમયે હાથમાંથી સરકી ગયેલી બાજીને દિપક ચહરે પલટી ભારત તરફી બનાવી હતી. ભૂવીએ શાનદાર સાથ પુરાવી જીતમાં યોગદાન આપ્યુ હતુ.
મુશ્કેલ પરિસ્થિતી વચ્ચે દિપક ચાહરે મહત્વની ઇનીંગ રમી દર્શાવી હતી.
ભારતીય ટીમને કૃણાલ પંડ્યા ની રમત પર આશા હતી. કૃણાલ પંડ્યા પાસે એક તક હતી. પરંતુ બોલીંગમાં બદલાવ કરી શ્રીલંકા એ હસારંગાને જવાબદારી સોંપી હતી. તેણે ત્રીજી મહત્વની વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે જીત મેળવવી હોય તો જરુરી છે કે, કૃણાલ પંડ્યાએ અંત સુધી રમવુ પડશે. તેના પછી એવો કોઇ બેટ્સમેન નથી કે જે ભારતને મેચમાં જીત અપાવી શકે. કૃણાલ વન ડેમાં અગાઉ અર્ધશતક બનાવી ચુક્યો છે. તેનામાં કાબેલિયત પણ છે કે, તે મેચ ફિનીશ કરી શકે.
સુર્યકુમાર શાનદાર રમત રમી રહ્યો હતો. શાનદાર ફીફટી ફટકારી હતી. આ દરમ્યાન જ તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. સૂર્યા એ અમ્પાયરના નિર્ણય સામે ડીઆરએસ નો ઉપયોગ કર્યો હતો.
સૂર્યકુમાર યાદવે શાનદાર રમત રમી હતી. મુશ્કેલ સમયમાં ટીમને સંભાળવાની જવાબદારી નિભાવી આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ ફીફટી બાઉન્ડરી લગાવી પુરી કરી હતી.
24 મી ઓવરમાં કરુણારત્નેના બોલ પર કૃણાલ પંડ્યાએ બાઉન્ડરી લગાવી હતી. ભારતીય ટીમે 24 ઓવરના અંતે 142 રન કર્યા હતા.
ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ગયુ છે. સેટ થયેલા મનિષ પાંડેની વિકેટ ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યા કેચ આઉટ થતા 18 ઓવરમાં ભારતે 116 રનના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી.
ભારતીય ટીમે રન આઉટના રુપમાં મનિષ પાંડેની વિકેટ ગુમાવી છે. 18મી ઓવરના બીજા બોલે મનિષ પાંડે રન આઉટ જાહેર થયોહતો.
મનિષ પાંડે અને સૂર્યકુમાર યાદવ હાલ ક્રિઝ પર છે. શિખર ધવનની વિકેટ ગુમાવ્યા બાદ ધૈર્ય પૂર્ણ રમત આગળ વધારી રહ્યા છે. જીત માટે 181 રન જરુર છે.
સૂર્યાકુમારે હસારંગાના બોલ પર બાઉન્ડરી લગાવી હતી.
મનિષ પાંડે એ ચામિરા સામે બેટીંગ કરતા શાનદાર બાઉન્ડરી લગાવી હતી.
કાસુન રંજીથા એ મનિષ પાંડે અને શિખર ધવન સામે બોલીંગ કસીને કરી હતી. જેને લઇ 7મી ઓવરમાં તેણે માત્ર એક જ રન આપ્યો હતો.
રજીંથાની ઓવર માં ઇશાન કિશન ક્લીન બોલ્ડ થતા વિકેટ ગુમાવી
ભારત સામે 276 રનનુ લક્ષ્ય શ્રીલંકાએ આપ્યુ છે. શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 275 રન કર્યા હતા. ભારતીય ટીમ વન ડે શ્રેણીમાં 1-0 થી આગળ છે. શ્રીલંકાએ શ્રેણીને બરાબર કરવા માટે બોલીંગ કમર કસતી કરવી પડશે.
શ્રીલંકન ટીમના સંદાકને અંતિમ ઓવર દરમ્યાન રન આઉટ દ્વારા વિકેટ ગુમાવી હતી. વિકેટકીપર ઇશાન કીશને રન આઉટ કર્યો હતો.
દિપક ચાહરના બોલ પર આગળ આવીને પ્રથમ બાઉન્ડરી કરુણારત્ને લગાવી હતી. તેના આગળના બોલે બીજી બાઉન્ડરી લગાવી હતી.
7 વિકેટ ગુમાવીને શ્રીલંકન ટીમે 250 રનના આંકને પાર કર્યો હતો. આ દરમ્યાન કરુણારત્ને 25 રને અને ચામીરા 1 રન સાથે ક્રિઝ પર છે.
ભૂવનેશ્વર કુમારને શ્રીલંકા સામે બીજી વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. તેણે અસલંકાની વિકેટ ઝડપી હતી. અસલંકાએ 65 રનની ઇનીંગ રમી હતી.
કુલદીપ યાદવના બોલ દરમ્યાન અસાલંકાએ તેનુ પ્રથમ વન ડે અર્ધશતક લગાવ્યુ હતુ.
હસરંગાએ 8 રન કરીને વિકેટ ગુમાવી હતી. દિપક ચહરે હસરંગાને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ સાથે જ 196 રન ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.
હંસારંગા એ ભૂવનેશ્વર કુમારના બોલ પર બાઉન્ડરી લગાવી હતી. શ્રીલંકાએ 5 વિકેટ ગુમાવીને 37 ઓવરના અંતે 185 રનનો સ્કોર કર્યો હતો.
અસલંકા એ યુઝવેન્દ્ર ચહલના બોલ પર બાઉન્ડરી ગેપમાં થી નિકાળી હતી.
ચહલે શ્રીલંકાના કેપ્ટન શનાકાની વિકેટ ઝડપી હતી. આ સાથે જ મેચમાં યુઝવેન્દ્ર ચહલે ત્રીજી વિકેટ ઝડપી હતી.
અસલંકાએ ગેપમાંથી ચોગ્ગો લગાવ્યો. કુલદીપ યાદવની બોલીંગ દરમ્યાન 31 મી ઓવરમાં ચોગ્ગો લગાવ્યો હતો.
દિપક ચાહરના બોલ ને ઉંચો ફકારવાના પ્રયાસમાં ધનંજય ડી સિલ્વા એ વિકેટ ગુમાવી હતી. આ સાથે જ શ્રીલંકાએ 134 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી.
આવિષ્કા ફર્નાન્ડોની વિકેટ ભૂવનેશ્વર કુમારે ઝડપી લીધી હતી. ફર્નાન્ડોએ 50 રન પૂરા કર્યા બાદ તુરત જ મોટો શોટ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી હતી. આ સાથે જ શ્રીલંકાએ 124 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી.
ઓપનર આવિષ્કા ફર્નાન્ડો એ ફીફટી પૂરી કરી હતી. 70 બોલમાં તેણે 50 રન કર્યા હતા. ભારત સામે તેણે પ્રથમ અર્ધશતક નોંધાવ્યુ હતુ.
આવિષ્કા ફર્નાન્ડોએ બાઉન્ડરી લગાવી હતી. કૃણાલ પડ્યાની ઓવરમાં તેણે બાઉન્ડરી લગાવી હતી. ભારતીય બોલરોએ બાઉન્ડરી પર છેલ્લા કેટલાક બોલ થી અંકુશ મેળવ્યો હતો.
નવા બોલ થી ત્રણ ઓવર નાંખવા બાદ, કેપ્ટન ધવને ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારને ફરી લઇ આવ્યા છે. જોકે આ થોડો આશ્વર્યભર્યો નિર્ણય છે. કારણ કે, ભારતીય સ્પિનરોએ શ્રીલંકન બેટસમેનો પર અંકુશ લાગ્યો હતો. આવામાં ફરી એકવાર વચ્ચે ધવન એક ઝડપી બોલરને લઇ આવ્યા છે.
બે વિકેટો પડવા બાદ શ્રીલંકાની રમત ધીમી પડી ચુકી છે. પાછળની પાંચ ઓવરમાં તેમના બેટ્સમેન ફક્ત 18 રન જ બનાવી શક્યા છે. બંને બેટ્સમેનોની વિકેટ બચાવીને ઇનીંગને આગળ વધારતા જોવા મળી રહ્યા છે.
શ્રીલંકાએ સારી શરુઆત કરી ઓપનીંગ જોડીએ 77 રનની ભાગીદારી રમત રમી હતી. શ્રીલંકાએ 2 વિકેટ ગુમાવીને 15 ઓવરના અંતે 83 રન નો સ્કોર કર્યો હતો.
ભાનુકા રાજપક્ષે ક્રિઝ પર આવતા જ પેવેલિયન પરત ફર્યો છે. યુઝવેન્દ્ર ચહલે પહેલા મિનોદ ભાનુકાની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ રાજપક્ષે પિચ પર આવ્યો હતો. જેને તેના પ્રથમ બોલે જ ચહલે શિકાર બનાવ્યો હતો. આમ સળંગ બે વિકેટ 77 રનના સ્કોર પર શ્રીલંકાએ ગુમાવી હતી.
યુઝવેન્દ્ર ચહલ શ્રીલંકાની ઓપનર જોડીને તોડવામાં સફળ રહ્યો છે. ચહલે મિનોદ ભાનુકાને વિકેટ ઝડપી હતી. ભાનુકા એ 42 બોલમાં 36 રન કર્યા હતા.
શ્રીલંકન ઓપનરોએ રમતની સારી શરુઆત કરી છે. બંને મક્કમ રમત વડે પાવર પ્લે દરમ્યાન 59 રન ટીમ માટે જોડ્યા છે.
મિનોદ ભાનુકાએ દિપક ચાહરની ઓવરમાં સળંગ બે ચોગ્ગા લગાવ્યા હતા. છઠ્ઠી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર બે ચોગ્ગા લગાવ્યા હતા. 6 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 36 રન વિના વિકેટે રહ્યો હતો.
શ્રીલંકાની બેટીગની ત્રીજી ઓવરમાં એક રન કર્યો છે. ત્રીજી ઓવર ભૂવનેશ્વરે નાખીને માત્ર એક જ રન આપ્યો છે. ત્રણ ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર વિના વિકેટે સાત રન થયા છે.
કોલબોના પ્રેમદાસા સ્ટેડીયમમાં રમાઈ રહેલ બીજી વન ડે મેચમાં,શ્રીલંકાએ ટોસ જીતીને, પહેલા બેટીગ કરવાનો નિર્ણય કર્યો છે. યજમાન ટીમ બદલાવ સાથે મેદાનમાં ઉતરી રહી છે. જ્યારે ભારતે કોઈ જ બદલાવ કર્યો નથી.
જો વરસાદ વરસે તો મેચમા શુ થાય ? આ મુદે આપને જણાવી દઈએ કે, આશા કરીએ કે આજે પૂરેપૂરી ઓવરની મેચ રમાય. જો મેચ દરમિયાન વરસાદનુ વિધ્ન આવે તો, બીજી ઈનિગ્સમાં બેટીગ કરવી સહેલી નહી હોય. આવી સ્થિતિમાં ટોસ બહુ જ મહત્વની ભૂમિકા ભજવશે. કોલબોમાં જે ટીમ ટોસ જીતશે તે ટીમ, પહેલા બેટીગ કરવા માગશે.
Published On - 11:25 pm, Tue, 20 July 21