એશિયા કપ (Asia Cup 2022) ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ના ચાહકો લાંબા સમયથી આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા હતા. હા, કેમ નહિ? વર્ષમાં બહુ ઓછા પ્રસંગો એવા હોય છે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર સામસામે હોય. 28 ઓગસ્ટે યોજાનારી આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા બંને ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. બંને દેશોએ આ ટૂર્નામેન્ટમાં પોતાના સ્ટાર ફાસ્ટ બોલર વિના રમવું પડશે. પહેલા જસપ્રીત બુમરાહ બહાર થયો હતો, જ્યારે હવે શાહીન આફ્રિદી (Shaheen Afridi) પણ ઈજાગ્રસ્ત થયો છે.
શનિવારે સમાચાર આવ્યા કે શાહીન આફ્રિદી ઈજાના કારણે એશિયા કપમાં ભાગ નહીં લે. આ સમાચારે પાકિસ્તાની ચાહકોના દિલ તોડી નાખ્યા. દરમિયાન, પાકિસ્તાની ચાહકો અને દિગ્ગજોએ પણ ભારતને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેણે લખ્યું, ‘શાહીનની ઈજા ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેન માટે એક મોટી રાહતના સમાચાર છે. નિરાશ હું તેને એશિયા કપમાં જોઈ શકીશ નહીં. શાહીન જલ્દી ફિટ થઈ જા.
Shaheen’s injury Big relief for the Indian top order batsmen. Sad we won’t be seeing him in #AsiaCup2022 Get fit soon Champ @iShaheenAfridi pic.twitter.com/Fosph7yVHs
— Waqar Younis (@waqyounis99) August 20, 2022
It’s a relief of other teams that Bumrah and Harshal aren’t playing this Asia cup!
— Irfan Pathan (@IrfanPathan) August 21, 2022
પાકિસ્તાનના દિગ્ગજોને જોઈને ભારતીયો કેવી રીતે પાછળ રહી શકે? વકાર યુનિસને ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટ્વીટ કર્યું હતું, ‘અન્ય ટીમો માટે રાહતની વાત છે કે બુમરાહ અને હર્ષલ આ એશિયા કપમાં નથી રમી રહ્યા!’ ચાહકો સમજી ગયા કે અન્ય ટીમો માટે આ રાહતની વાત એ વકાર યુનુસ માટે છે. પૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે ઈરફાનનું ટ્વીટ શેર કરતી વખતે ગીતની મીમ શેર કરી, જેમાં લખ્યું હતું, ‘ચાહે તુમ કુછ ના કહો, મેને સુન લિયા.’
ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં શાહીન આફ્રિદીએ ભારતીય ટીમ પર તબાહી મચાવી હતી. તેણે ભારતના ટોપ-3 બેટ્સમેન રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ કારણે પાકિસ્તાની ચાહકોને લાગ્યું કે આફ્રિદી ફરી એકવાર ભારતને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. હવે તેમની આશા ઠગારી નીવડી હોવાથી તેઓ નિરાશા અનુભવી રહ્યા છે.
Published On - 11:17 pm, Sun, 21 August 22