TV9 GUJARATI | Edited By: Avnish Goswami
Dec 02, 2021 | 9:21 AM
ભારત-ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) ટેસ્ટ સિરીઝ તેના અંતિમ સ્તર પર છે. શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈ (Mumbai Test) માં રમાશે. કાનપુરમાં સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ કારણે, જે પણ ટીમ આ મેચ જીતશે તે શ્રેણી જીતશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર રમાવાની છે, જે ભૂતકાળમાં ઘણી રોમાંચક મેચો જોઈ ચૂકી છે. ભારત આ મેદાન પર 33 વર્ષ પછી અને ન્યુઝીલેન્ડ 5 વર્ષ પછી ટેસ્ટ મેચ રમતા જોવા મળશે.
ભારત અને ન્યુઝીલેન્ડ બંને મેચો સાથે શ્રેણી જીતવામાં કોઈ કસર છોડશે નહીં. ન્યૂઝીલેન્ડ માટે ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાની આ ઐતિહાસિક ક્ષણ હોઈ શકે છે, જ્યારે ભારત જીત સાથે ઘરઆંગણાના વાતાવરણમાં કિવીઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનું લક્ષ્ય રાખશે.
ભારતે વાનખેડે મેદાન પર છેલ્લી ટેસ્ટ 2016માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ભારતે ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 36 રનથી હરાવ્યું. ન્યૂઝીલેન્ડે છેલ્લી ટેસ્ટ 1988માં રમી હતી, જેમાં તેણે ભારતને 136 રનથી હરાવ્યું હતું.
Virat Kohli
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વાનખેડે ખાતે આ ત્રીજી ટેસ્ટ મેચ હશે. આ પહેલા બંને ટીમો બે વખત સામસામે આવી ચુકી છે. બંનેને એક-એક જીત મળી છે. ભારતે મુંબઈમાં અત્યાર સુધીમાં 25 ટેસ્ટ રમી છે, જેમાં 11માં જીત, 7 ડ્રો અને 7માં હાર થઈ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર રમત રમીને મેચને રોમાંચક સ્થિતી ભરી બનાવી હતી. ભારતીય ટીમ માત્ર એક વિકેટ માટે જીત થી દુર રહી ગઇ હતી.