ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે કાનપુરમાં પ્રથમ મેચ રમાઈ હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં બંને ટીમો જીતવા માંગે છે. ભારત માટે સારી વાત એ છે કે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પાછો ફર્યો છે. કોહલી ટી-20 વર્લ્ડ કપ બાદ બ્રેક પર હતો અને આ કારણથી T20 સિરીઝ પછીની પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો નહોતો.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે ટી બ્રેક સુધી ત્રણ વિકેટે 111 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 52 અને શ્રેયસ અય્યર સાત રન બનાવીને રમી રહ્યા હતા.રાત્રિના વરસાદને કારણે સવારનું સત્ર રમાઈ શક્યું ન હતું. ભારતે શુભમન ગિલ (44), ચેતેશ્વર પુજારા (0) અને કેપ્ટન વિરાટ કોહલી (0)ની વિકેટ ગુમાવી હતી.
Stumps on Day 1 of the 2nd Test.#TeamIndia 221/4 (Mayank 120*)
Scorecard – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/WL8GGArLEe
— BCCI (@BCCI) December 3, 2021
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિવસના અંતે ભારતે ચાર વિકેટ ગુમાવીને 221 રન બનાવી લીધા હતા. મયંક સિવાય શુભમન ગિલ 44 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સાહાએ મયંક સાથે ઈનિંગને સંભાળી અને અડધી સદીની ભાગીદારી કરી.
પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. 70 ઓવરના અંતે ભારતે ચાર વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 120 અને રિદ્ધિમાન સાહા 25 રને અણનમ છે.
એજાઝ પટેલ 68મી ઓવર લાવ્યો હતો. પટેલે ઓવરમાં બે રન આપ્યા અને આ સાથે સાહા અને મયંકની અડધી સદીની ભાગીદારી પણ પૂરી થઈ. બંને ખેલાડીઓએ શાનદાર રમત બતાવી છે.
ભારતનો સ્કોર 65 ઓવરમાં 4 વિકેટે 207 રન છે. મયંક અગ્રવાલ 219 બોલમાં 107 અને રિદ્ધિમાન સાહા 50 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યા છે.
ભારતનો સ્કોર 200ને પાર કરી ગયો છે. આજના દિવસની રમત પૂરી થવામાં 14 ઓવર બાકી છે. કિવી ટીમ આજે આ ભાગીદારીને તોડવાની કોશિશ કરશે તો બીજી તરફ ભારત બંને બેટ્સમેન પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યું છે.
64 ઓવરના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 207 રન છે. મયંક અગ્રવાલ 107 અને વિકેટકીપર રિદ્ધિમાન સાહા 24 રન બનાવીને રમી રહ્યો છે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી 98 બોલમાં 97 રનની ભાગીદારી થઈ છે.
ભારતનો સ્કોર 60 ઓવરમાં 4 વિકેટે 198 રન છે. મયંક અગ્રવાલ 202 બોલમાં 102 અને રિદ્ધિમાન સાહા 37 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યા છે.
ઓપનર મયંક અગ્રવાલે તકનો ફાયદો ઉઠાવતા 196 બોલમાં પોતાની સદી પૂરી કરી છે. આ તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી છે. મયંકે ડેરીલ મિશેલના બોલને એક ફોર માટે એક્સ્ટ્રા કવર તરફ મોકલીને આ આંકડાને સ્પર્શ કર્યો હતો. મયંકે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા છે.
Mayank Agarwal gets his fourth Test ton 👏
He has helped India closer to the 200-run mark.#WTC23 | #INDvNZ | https://t.co/EdvFj8QtKD pic.twitter.com/lVzRaWKc7V
— ICC (@ICC) December 3, 2021
57 ઓવરના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 182 રન છે. ઓપનર મયંક અગ્રવાલ 95 અને રિદ્ધિમાન સાહા 11 રને ક્રિઝ પર છે. મયંકે પોતાની ઇનિંગમાં 194 બોલનો સામનો કરીને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા છે.
ભારતનો સ્કોર 55 ઓવરમાં 4 વિકેટે 177 રન છે. મયંક અગ્રવાલ 183 બોલમાં 91 રન અને રિદ્ધિમાન સાહા 26 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતનો સ્કોર 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 160 રન છે. મયંક અગ્રવાલ 171 બોલમાં 85 અને રિદ્ધિમાન સાહા 8 બોલમાં 0 રન બનાવીને રમી રહ્યો છે.
ઐયરના આઉટ થયા બાદ હવે ટીમ ભારતમાં દબાણમાં છે. એજાઝ પછી, જેમિસન આગલી ઓવર લાવ્યો, તે મેડન હતી. આ પછી એજાઝ પટેલે મેડન ઓવર પણ ફેંકી હતી.
એજાઝ પટેલે ન્યુઝીલેન્ડને ચોથી સફળતા અપાવી છે. ટોમ બ્લેન્ડલે 47.4 ઓવરમાં એજાઝ પટેલની બોલ પર શ્રેયસ અય્યરને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. શ્રેયસ 41 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 18 રન રમી રહ્યો છે. નવો બેટ્સમેન રિદ્ધિમાન સાહા આવ્યો છે
ભારતનો સ્કોર 45 ઓવરમાં 3 વિકેટે 144 રન છે. મયંક અગ્રવાલ 156 બોલમાં 76 અને શ્રેયસ અય્યર 34 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યા છે.
મયંક અગ્રવાલે શ્રેયસ અય્યર સાથે મળીને ભારતીય દાવને સંભાળ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે પચાસ રનની ભાગીદારી થઈ હતી. 44 ઓવરમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. મયંક 68 અને ઐયર 12 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.
ભારતનો સ્કોર 40 ઓવરમાં 3 વિકેટે 121 રન છે. મયંક અગ્રવાલ 137 બોલમાં 58 અને શ્રેયસ અય્યર 29 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે.
ટી બ્રેક પૂરો થયો. મયંક અગ્રવાલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર પરત ફર્યા છે.
મયંક અગ્રવાલે તેની ટેસ્ટ કારકિર્દીની 5મી ફિફ્ટી ફટકારી હતી. તેણે ભારતની લથડતી ઇનિંગ્સને પણ સંભાળી હતી. ટીમ ઈન્ડિયાએ 80 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મયંકે એક છેડો જાળવી રાખ્યો હતો. ટી-ટાઈમ સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા હતા.
That will be Tea on Day 1 of the 2nd Test. #TeamIndia lose three wickets in the afternoon session.
Scorecard – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/HCcJ3Lp8k0
— BCCI (@BCCI) December 3, 2021
મયંક અગ્રવાલ પોતાની અડધી સદી પૂરી કરી છે. 119 બોલમાં જોરદાર ઇનિંગ રમીને 50 રન પૂરા કર્યા. અગ્રવાલે અત્યાર સુધીમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે.
ટિમ સાઉથી 33મી ઓવર લાવ્યો અને આ વખતે 10 રન આપ્યા. શ્રેયસ અય્યરે ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી, બોલના પાંચમા બોલ પર, અય્યરે સ્વિંગ કરતી વખતે કવર્સ પર બીજો ચોગ્ગો ફટકાર્યો.
21મી ઓવર લઈને આવેલા સોમરવિલની ઓવરના છેલ્લા બોલે શુભમને, મિડ વિકેટ ઉપર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. 21મી ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ કુલ સાત રન લીધા હતા. ત્યારબાદ એજાજ પટેલની ઓવરમાં માત્ર એક જ રન લઈ શકાયો હતો.
આર સોમરવિલે ઈનિગ્સની 19મી ઓવર નાખી હતી. ઓવરના પહેલા જ બોલ ઉપર સિંગલ રન લઈને ભારતની ઓપનીગ જોડીએ, 50 રનની ભાગીદારી નોંધાવી. ઘરઆગણે રમાયેલી પાછલી 14 ટેસ્ટ ઈનિગ્સમાં પહેલી વાર ઓપનિગ જોડીએ 50 રનની ભાગીદારી નોંધાવી છે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં, ભારતીય ઓપનરની જોડીએ 8 ઓવરમાં 25 રન કરી લીધા છે. મયંક અગ્રવાલ અને શુભમન ગીલ બન્નેએ સરખા રન બનાવ્યા છે. શુભમન ગીલ ઝડપથી રમે છે જ્યારે મયંક અગ્રવાલ વિકેટને સાચવીને રન લઈ રહ્યાં છે. બન્ને ખેલાડીઓ સારી સમજદારીથી સ્કોરને આગળ વધારી રહ્યા છે.
શુભમન ગીલ બાદ મયંક અગ્રવાલે પણ શાનદાર શરૂઆત કરી. મેચની ત્રીજી ઓવરના પહેલા બોલે, ચોક્કો ફટકાર્યો. ડીપ મિડ વિકેટ ઉપર બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર મોકલી આપ્યો. જો કે, છેલ્લી બે ઓવરમાં માત્ર પાંચ જ રન આવ્યા.
ભારતના ત્રણ ખેલાડીઓ, ઈશાંત શર્મા, અંજિક્ય રહાણે, રવિન્દ્ર જાડેજાને ટીમમાં નથી સમાવાયા. તેમના સ્થાને જયંત જાદવ અને મોહમ્મદ સિરાજને ટીમમાં સમાવવામાં આવ્યા છે. સાથોસાથ આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન, વિરાટ કોહલી પણ પરત ફર્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન) મયંક અગ્રવાલ, શુભમન ગીલ, શ્રેયસ ઐયર, રીધ્ધીમાન સહા, અક્ષર પટેલ, જયંત જાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટીગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન લેથમે કહ્યુ કે, જો તેઓ પહેલા ટોસ જીતે તો તેઓ પણ પહેલા બેટીગ જ કરવાનો નિર્ણય કરત.
અમ્પાયરોએ બીજો બ્રેક વહેલો લેવાનો નિર્ણય લીધો છે. દિવસનો પહેલો બોલ 12 વાગ્યે નાખવામાં આવશે અને દિવસના બીજા સત્રની રમત શરૂ થશે. ચાનો સમય 14:40 થી 3 વાગ્યા સુધીનો રહેશે. દિવસની રમત સાંજે 5.30 કલાકે સમાપ્ત થશે
બીજા નિરીક્ષણ પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ટોસ 11:30 વાગ્યે થશે અને તે પછી સત્રની રમત 12 વાગ્યા પહેલા શરૂ થશે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે કોણીની ઈજાને કારણે કેન વિલિયમસન બીજી ટેસ્ટનો ભાગ નહીં બને. તેમજ ટોમ લાથમ મુંબઈ ટેસ્ટમાં કિવી ટીમનું નેતૃત્વ કરશે
Team News | BLACKCAPS captain Kane Williamson will miss the second and final Test against India in Mumbai as he continues to battle the left-elbow injury which has troubled him for much of 2021. More | https://t.co/VClIKxKI8Q #INDvNZ pic.twitter.com/wGeA46LN4g
— BLACKCAPS (@BLACKCAPS) December 3, 2021
પિચનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે નક્કી કરવામાં આવ્યું છે કે ટોસમાં વધુ વિલંબ થશે. આગામી તપાસ 10.30 કલાકે થશે. આ દરમિયાન ટોમ લાથમ અમ્પાયર સાથે વાત કરતો જોવા મળ્યો હતો
ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાં નહીં રમે. ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે બેન્ચ પર રહેશે.
NEWS – Injury updates – New Zealand’s Tour of India
Ishant Sharma, Ajinkya Rahane and Ravindra Jadeja ruled out of the 2nd Test.
More details here – https://t.co/ui9RXK1Vux #INDvNZ pic.twitter.com/qdWDPp0MIz
— BCCI (@BCCI) December 3, 2021
Hello & good morning from Mumbai for the second @Paytm #INDvNZ Test! 👋#TeamIndia pic.twitter.com/Pvkm9F2WbG
— BCCI (@BCCI) December 3, 2021
ફિલ્ડ અમ્પાયર નીતિન મેનને કહ્યું કે સ્થિતિ 100 ટકા રહેશે નહીં કારણ કે બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તેણે કહ્યું, ‘અમારે ખેલાડીઓની સુરક્ષાની ચિંતા કરવાની છે. તેથી જો સ્થિતિ સુધરશે તો આજે રમત થશે.’
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ છે. પરંતુ મેચ શરૂ થવામાં વિલંબ થયો છે, તેનું કારણ મુંબઈનો વરસાદ છે. BCCI એ માહિતી આપી છે કે ટોસ તેના નિર્ધારિત સમયથી શરૂ થઈ શકશે નહીં અને મેદાનનું નિરીક્ષણ 9:30 વાગ્યે કરવામાં આવશે.
🚨 Update from Mumbai 🚨: The toss has been delayed. There will be a pitch inspection at 9:30 AM. #TeamIndia #INDvNZ @Paytm pic.twitter.com/5Uw0DKV90A
— BCCI (@BCCI) December 3, 2021
Published On - 9:06 am, Fri, 3 December 21