ન્યુઝીલેન્ડે ટી 20 સિરીઝમાં હાર મળ્યા બાદ વનડે સિરીઝ પોતાના નામ કરી હતી. કેન વિલિયમસનની કેપ્ટનશીપમાં કીવી ટીમે 1-0થી વનડે સિરીઝ જીતી. વનડે સિરીઝની 2 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી વનડેમાં વરસાદ આવવાથી મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ટીમ 219 રન જ બનાવી શકી હતી જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 18 ઓવરમાં 104 રન બનાવી ચૂકી હતી. ત્યારપછી ક્રાઈસ્ટચર્ચમાં વરસાદ પડ્યો અને ડકવર્થ-લુઈસના નિયમ મુજબ મેચનું પરિણામ આવી શક્યું નહીં કારણ કે ODI ક્રિકેટમાં મેચ અટકાવતા પહેલા ઓછામાં ઓછી 20 ઓવર જરૂરી હતી.
ક્રાઈસ્ટચર્ચમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ હતી. માત્ર વૉશિગ્ટન સુંદર અને શ્રેયસ અય્યરે વિકેટ પર ટકવા મહેનત કરી હતી. સુંદર 51 અને શ્રેયસ અય્યર 49 રનની ઈનિગ્સ રમી હતી. તે સિવાય કેપ્ટન ધવન 28 શુભમન ગિલ 13,ઋષભ પંત 10 રન જ બનાવી શક્યા હતા. સૂર્યકુમાર યાદવ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. દિપક હુડ્ડાએ 12 રનની ઈનિગ્સ રમી હતી.
વરસાદથી પ્રભાવિત આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલને શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 54 બોલમાં 57 રન બનાવ્યા હતા. ડેવોન કોનવેએ અણનમ 38 રન બનાવ્યા હતા. ભારત તરફથી એકમાત્ર વિકેટ ઉમરાન મલિકને મળી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે 3 વિકેટ ઝડપી હતી. આ સાથે જ એડમ મિલ્નેએ પણ ત્રણ વિકેટ લીધી હતી. ટિમ સાઉદીએ બે વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યુસન અને સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી.
The third & final #NZvIND ODI is called off due to rain 🌧️
New Zealand win the series 1-0.
Scorecard 👉 https://t.co/NGs0HnQVMX #TeamIndia
📸 Courtesy: Photosport NZ pic.twitter.com/73QtYS5SJm
— BCCI (@BCCI) November 30, 2022
તમને જણાવી દઈએ કે, ન્યુઝીલેન્ડમાં સતત બીજી વનડે સીરિઝમાં ભારતને હાર મળી છે. વર્ષે 2020માં ભારતીય ટીમે ટી 20 સિરીઝ પોતાને નામ કરી હતી પરંતુ વનડે સિરીઝમાં તેને 0-3 હાર મળી હતી. આ વખતે પણ ભારતે ટી 20 સિરીઝ જીતી હતી. આ વખતે ભારતે ટી20 સિરીઝ જીતી અને વનડે સિરીઝમાં હાર મળી હતી.