ગુજરાત ટાઈટન્સનો ખેલાડી લવ જેહાદ વિશે પોસ્ટ કરી બરાબર ફસાયો, બાદમાં માંગી માફી

|

Jun 05, 2023 | 3:00 PM

ફાસ્ટ બોલર યશ દયાલે સાક્ષી હત્યા કેસને લઈને એક પોસ્ટ શેર કરી હતી, જે બાદ તે ખરાબ રીતે ટ્રોલ થયો હતો. યશ દયાલની પોસ્ટને લઈને હોબાળો થયો હતો જે બાદ તેણે માફી પણ માંગી હતી.

ગુજરાત ટાઈટન્સનો ખેલાડી લવ જેહાદ વિશે પોસ્ટ કરી બરાબર ફસાયો, બાદમાં માંગી માફી
Yash Dayal bowling for GT

Follow us on

ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર યશ દયાલની એક પોસ્ટે ભારે હંગામો મચાવ્યો હતો. જે બાદ તેણે સોશિયલ મીડિયામાં હાથ જોડીને માફી પણ માંગી હતી. વાસ્તવમાં બોલર યશ દયાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. જે ભૂતકાળમાં દિલ્હીમાં સાક્ષી હત્યા કેસ સાથે સંબંધિત હતી.

થોડા દિવસો પહેલા સાહિલ નામના વ્યક્તિએ 16 વર્ષની સાક્ષીની ઘાતકી હત્યા કરી હતી. આરોપી સાહિલે સાક્ષી પર છરી વડે અનેક વાર હુમલો કર્યો, બાદમાં માથામાં પથ્થર પણ માર્યો હતો. સાક્ષીની હત્યાનો વીડિયો જોઈને આખો દેશ ચોંકી ગયો હતો. આ હત્યાકાંડ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરીને યશ ફસાઈ ગયો હતો. તે ખરાબ રીતે ટ્રોલ થયો હતો અને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

યશ દયાલે માફી માંગી

હંગામાના થોડા સમય બાદ યશ દયાલે પોતાની જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી અને બીજી પોસ્ટ શેર કરીને લોકોની માફી માંગી હતી. દયાલે કહ્યું કે તેણે ભૂલથી તે સ્ટોરી પોસ્ટ કરી હતી અને તે તેના માટે માફી માંગે છે. તેણે કહ્યું કે નફરત ન ફેલાવો. હું દરેક સમુદાય અને સમાજનું સન્માન કરુ છે.

Yash Dayal apologized

રિંકુ સિંહે દયાલની ઓવરમાં 5 સિક્સર ફટકારી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં યશ દયાલ ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યો હતો, જેમાં ગુજરાત અને કોલકાતા વચ્ચેની મેચ બાદ યશ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. યશ દયાલને તેની એક ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહે 5 સિક્સ ફટકારી હતી. છેલ્લી ઓવરમાં KKRને ગુજરાત સામે જીતવા માટે 28 રનની જરૂર હતી. જે બાદ હાર્દિક પંડયાએ યશ દયાલને બોલિંગ આપી હતી, જેમાં રિંકુએ તેની ઓવરમાં 5 છગ્ગા ફટકારીને KKRને ઐતિહાસિક જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ WTC ફાઈનલમાં વરસાદની આગાહી, જો મેઘરાજા વિલન બનશે તો કોણ બનશે ચેમ્પિયન? વાંચો કેવા બેસે છે સમીકરણ

યશ દયાલનું વજન ઘટી ગયું હતું

દયાલે IPL 2023માં માત્ર 5 જ મેચ રમી હતી, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. KKR સામેની મેચ બાદ દયાલને ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પુષ્ટિ કરી હતી કે પાંચ છગ્ગા ખાધા બાદ દયાલ બીમાર પડી ગયો હતો. એટલું જ નહીં તેનું વજન પણ 7 થી 8 કિલો ઘટી ગયું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article