Breaking News: આયર્લેન્ડના કોચે અચાનક આપ્યું રાજીનામું, ટીમ ઈન્ડિયાને હરાવ્યા પછી આવો નિર્ણય કેમ લીધો?

આયર્લેન્ડ ક્રિકેટ ટીમે કોઈપણ ફોર્મેટમાં પહેલીવાર ભારતને હરાવ્યું હતું અને પછી સતત બીજી મેચ જીતી ઐતિહાસિક T20 શ્રેણી જીતી હતી. પરંતુ ઉજવણી વચ્ચે, ટીમના કોચના રાજીનામાના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચાલી જાણીએ ભારત સામે સૌથી મોટી જીત બાદ આયર્લેન્ડના કોચે કેમ આપ્યું રાજીનામું.

Breaking News: આયર્લેન્ડના કોચે અચાનક આપ્યું રાજીનામું, ટીમ ઈન્ડિયાને હરાવ્યા પછી આવો નિર્ણય કેમ લીધો?
Ireland coach resign
Image Credit source: Getty Images
| Updated on: Jun 29, 2026 | 5:54 PM

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીના પરિણામથી ક્રિકેટ જગત હચમચી ગયું છે. આયર્લેન્ડે બે વખતની ગત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને પહેલીવાર T20 શ્રેણીમાં 2-0થી હરાવ્યું છે. આ પરિણામથી સમગ્ર આયર્લેન્ડમાં ઉજવણી થઈ રહી છે, પરંતુ ટીમના મુખ્ય કોચે શ્રેણી જીત્યાના એક દિવસ પછી જ રાજીનામું આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આયર્લેન્ડના કોચ માલાને આપ્યું રાજીનામું

આયર્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હેનરિખ માલાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ક્રિકેટ આયર્લેન્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આયર્લેન્ડે નવા કોચની પણ જાહેરાત કરી છે.

આયર્લેન્ડે ભારતને હરાવ્યું

રવિવાર, 28 જૂનના રોજ બેલફાસ્ટમાં રમાયેલી બીજી T20I મેચમાં આયર્લેન્ડે ભારતને 1 રનથી હરાવ્યું. આ સાથે, આઈરિશ ટીમે બે મેચની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો 2-0 થી ક્લીન સ્વીપ કર્યો. આઈરિશ ક્રિકેટ ઈતિહાસમાં આ સૌથી મોટી શ્રેણી જીત છે. આઈરિશ ક્રિકેટ ટીમ, તેના ચાહકો અને સ્થાનિક મીડિયા આ વિજયની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે, 24 કલાકથી પણ ઓછા સમય પછી, સોમવાર, 29 જૂનના રોજ, કોચ હેનરિખ માલનના રાજીનામાના સમાચાર આવ્યા.

આ કારણે માલને કોચિંગ છોડી દીધું

હવે પ્રશ્ન એ છે કે આટલી મોટી જીત પછી માલાને અચાનક રાજીનામું આપવાનું કેમ નક્કી કર્યું? ક્રિકેટ આયર્લેન્ડ અનુસાર, માલાનનો કરાર 2027 સુધીનો હતો, પરંતુ તેણે પહેલા રાજીનામું આપવાનો નિર્ણય લીધો. આનું કારણ નવા કોચ માટે જરૂરી સમય છે. માલાને પોતાના નિવેદનમાં કહ્યું કે તે ટીમની સિદ્ધિઓથી ખુશ છે. જો કે, નવા કોચને આગામી વર્ષો માટે તૈયારી કરવા માટે હવે સમય આપવો મહત્વપૂર્ણ છે, અને આ ઓગસ્ટમાં અફઘાનિસ્તાન સામેની શ્રેણીથી શરૂ કરી શકાય છે, જેથી ટીમ 2027 ના વર્લ્ડ કપ અને તે પછીની ટુર્નામેન્ટ માટે સારી રીતે તૈયારી કરી શકે.

માલનની કારકિર્દી કેવી રહી છે?

માલનના કોચિંગ રેકોર્ડની વાત કરીએ તો, તે 2022 માં આઈરિશ ટીમમાં જોડાયો હતો. ત્યારથી, આયર્લેન્ડ ચાર વર્ષમાં ત્રણેય T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું. આ દરમિયાન તેમણે ત્રણ ટેસ્ટ મેચ પણ જીતી. તેમણે 2022 ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. ટીમે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામે પણ તાજેતરમાં જીત મેળવી હતી. માલનની સફર એક યાદગાર વિજય સાથે સમાપ્ત થઈ, જેમાં વર્લ્ડ ચેમ્પિયન ભારતને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

વિલ્સન આયર્લેન્ડનો નવો કોચ

માલનના રાજીનામા બાદ આયર્લેન્ડે નવા કોચની જાહેરાત કરી છે. બોર્ડે ભૂતપૂર્વ આઈરિશ વિકેટકીપર-બેટ્સમેન ગેરી વિલ્સનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. લગભગ છ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા 40 વર્ષીય વિલ્સને આયર્લેન્ડ માટે 105 વનડે, 85 T20 અને 2 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં લગભગ 3,400 રન બનાવ્યા હતા. વિલ્સન 2022 થી આયર્લેન્ડના સહાયક કોચ તરીકે સેવા આપી રહ્યો છે અને હવે તે ટીમનો હવાલો સંભાળશે. 30 વર્ષમાં તેઓ પ્રથમ આઈરિશ કોચ છે.

Breaking News: પ્રિન્સ યાદવે પહેલા જ બોલ પર જ રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર માત્ર ત્રીજો ભારતીય ખેલાડી

Published On - 5:37 pm, Mon, 29 June 26

Follow Us