IPL 2022 માં નવી સામેલ થનારી ટીમોને ઓકશન પહેલા મળશે આ ખાસ લાભ, જે સુવિધા ટીમને મજબૂત કરવા કામ આવશે

|

Oct 15, 2021 | 2:24 PM

IPL 2022 થી, ટુર્નામેન્ટમાં આઠ ને બદલે 10 ટીમો હશે. આ કારણે, મેગા હરાજીનું આયોજન કરવામાં આવશે, જેના કારણે તમામ ટીમોએ ખેલાડીઓ પર બોલી લગાવવી પડશે.

IPL 2022 માં નવી સામેલ થનારી ટીમોને ઓકશન પહેલા મળશે આ ખાસ લાભ, જે સુવિધા ટીમને મજબૂત કરવા કામ આવશે
IPL Trophy

Follow us on

IPL 2022 માં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે. આ સંદર્ભમાં, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ટીમોમાં જોડાતા ખેલાડીઓ માટે નવા નિયમો બનાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે નવી ટીમોને હરાજી પહેલા જ કેટલાક ખેલાડીઓને તેમની સાથે જોડવાની પરવાનગી મળશે. આ સાથે, IPL 2022 ની તમામ ટીમોની હરાજીમાં મામલો સમાન રહેશે. હકીકતમાં, પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી આઠ ફ્રેન્ચાઇઝીઓને પહેલાથી જ કેટલાક ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જે નવી ટીમો માટેનો ખેલ બગાડી શકે છે.

આવી સ્થિતીમાં, બીસીસીઆઈ જૂની આઠ ફ્રેન્ચાઈઝીઓ તેમજ બે નવી ફ્રેન્ચાઈઝીઓને રીટેનના નિયમનો લાભ લેવાની તક આપશે. એક મીડિયા રિપોર્ટે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, નવી ફ્રેન્ચાઇઝી હરાજી પહેલા જે પણ ખેલાડીઓ હરાજી માટે તેમના નામ આપશે તેમને પોતાની ટીમમાં ઉમેરી શકાશે. આ દરમિયાન, ફ્રેન્ચાઇઝી અને ખેલાડીઓ મળીને પૈસા પર સહમત થશે.

અત્યાર સુધી બીસીસીઆઈએ રિટેન કરનાર ખેલાડીઓની સંખ્યા જાહેર કરી નથી. પરંતુ તે સમજી શકાય છે કે નવી ફ્રેન્ચાઇઝી માટે આ સંખ્યા બે કે ત્રણ રહી શકે છે. બીજી બાજુ, જૂની ટીમો ત્રણ ભારતીય અને એક વિદેશી અથવા ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને જાળવી રાખી શકે છે. જો ખેલાડીઓની સંખ્યા ચાર રાખવામાં આવે તો રાઇટ ટુ મેચ કાર્ડ ન પણ મળી શકે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

માનવામાં આવે છે કે બે નવી ટીમોની જાહેરાત બાદ બીસીસીઆઈ હરાજીને લગતા નિયમો જારી કરી શકે છે. અત્યારે બોર્ડની પ્રથમ પ્રાથમિકતા નવી ટીમો માટે આવનારી બિડ્સ પૂરી કરવાની છે. BCCI આગામી 25 ઓક્ટોબરે નવી ટીમોની જાહેરાત કરશે.

25 મીએ નવી ટીમોની જાહેરાત

તાજેતરમાં, બીસીસીઆઈએ નવી ટીમો માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર સુધી લંબાવી હતી. કહેવાય છે કે ઘણા નવી પાર્ટીઓએ આ અંગે વિનંતી કરી હતી. જો કે, ટીમોની બોલી પર આની કોઈ અસર થશે નહીં. 25 ઓક્ટોબરે નવી ટીમોની જાહેરાત થવાની છે. એવું માનવામાં આવે છે કે 15 મી સિઝનમાં અમદાવાદ અને લખનૌની ટીમો જોઇ શકાય છે. ઉપરાંત કટક અને ગુવાહાટી શહેરો પણ રેસમાં છે. જો સૂત્રોનું માનીએ તો આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ, અરબિંદો ફાર્મા ગ્રુપ, અદાણી ગ્રુપે નવી ટીમો ખરીદવામાં રસ દાખવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે બે નવી આઈપીએલ ટીમોના માલિક કોણ બનશે?

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિશ્વકપ શરુઆત અગાઉ જ વિરાટ કોહલી એ ઋષભ પંતને લઇ કેમ સંભળાવ્યુ કે મારી પાસે તો ઘણાં કીપર છે! જુઓ Video

આ પણ વાંચોઃ IPL 2021: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયામાં ધોનીની ખોટ પૂરવાની ભૂમિકા નિભાવશે, બોલીંગને બદલે ‘વિશેષ’ જવાબદારી સોંપાઇ

Next Article