Virat Kohli: વિરાટ કોહલીએ T20 કેપ્ટનશિપ છોડવાને લઇને જુઠ બોલ્યો? સૌરવ ગાંગુલી ટેસ્ટ કેપ્ટનથી નારાજ!

|

Dec 15, 2021 | 9:57 PM

વિરાટ કોહલી (Virat Kohli) એ બુધવારે દાવો કર્યો હતો કે કોઈએ તેને T20 કેપ્ટનશીપ છોડવા માટે કહ્યું નથી, તેમ છતાં સૂત્રોએ જણાવ્યું હતું કે BCCI તેના નિવેદનને નકારી રહ્યું છે.

Virat Kohli: વિરાટ કોહલીએ T20 કેપ્ટનશિપ છોડવાને લઇને જુઠ બોલ્યો? સૌરવ ગાંગુલી ટેસ્ટ કેપ્ટનથી નારાજ!
Sourav Ganguly-Virat Kohli

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની પ્રેસ કોન્ફરન્સે ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. વિરાટ કોહલીએ બુધવારે દાવો કર્યો હતો કે BCCI દ્વારા તેને ક્યારેય T20I કેપ્ટનશીપ છોડવા માટે કહેવામાં આવ્યું નથી. વિરાટ કોહલીનું નિવેદન BCCI ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) થી તદ્દન વિપરિત હતું, જેમણે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે તેણે પોતે વિરાટને T20 કેપ્ટનશીપ ન છોડવા વિનંતી કરી હતી.

વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલીને પોતાના શબ્દોમાં ખોટો ગણાવ્યો હતો પરંતુ હવે BCCIએ ટેસ્ટ કેપ્ટન પર બદલો લીધો છે. મીડિયા રિપોર્ટનુસાર, BCCI અધિકારીએ વિરાટ કોહલીના દાવાને નકારી કાઢ્યો છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે તેણે વિરાટ કોહલીને સપ્ટેમ્બરમાં T20ની કેપ્ટનશીપ ન છોડવા કહ્યું હતું અને તેણે આ મુદ્દે સંપૂર્ણ ચર્ચા કરી હતી.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

શું વિરાટ કોહલી ખોટું બોલી રહ્યો છે?

BCCI ના અધિકારીએ કહ્યું, ‘વિરાટ કોહલી એમ ન કહી શકે કે અમે તેની સાથે વાત કરી નથી. અમે સપ્ટેમ્બરમાં જ વિરાટ સાથે વાત કરી હતી અને તેને T20ની કેપ્ટનશીપ ન છોડવા કહ્યું હતું. જ્યારે વિરાટે પોતે T20ની કેપ્ટનશીપ છોડી દીધી ત્યારે સફેદ બોલની રમતમાં બે કેપ્ટનને જાળવી રાખવા મુશ્કેલ હતા. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ ખુદ વિરાટ કોહલીને ODI કેપ્ટનશિપ વિશે જણાવ્યું હતું.

 

વિરાટ કોહલીના નિવેદનથી હલચલ મચી ગઈ!

સાઉથ આફ્રિકા પ્રવાસ પર રવાના થતા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, ‘લેવામાં આવેલા નિર્ણય વિશે જે પણ સંવાદ કરવામાં આવ્યો, તેના વિશે જે પણ કહેવામાં આવ્યું તે ખોટું છે. કોહલીએ કહ્યું, ‘જ્યારે મેં T20 કેપ્ટન્સી છોડી, ત્યારે મેં સૌથી પહેલા BCCIનો સંપર્ક કર્યો અને તેમને મારા નિર્ણય વિશે જણાવ્યું અને મારી વાત તેમની (અધિકારીઓ) સામે મૂકી.’

થોડા દિવસો પહેલા ગાંગુલીના નિવેદનથી બિલકુલ વિપરીત માહિતી આપતા ભારતીય કેપ્ટને કહ્યું કે, ‘મેં T20ની કેપ્ટન્સી કેમ છોડવી છે તેના કારણો આપ્યા અને મારો દૃષ્ટિકોણ સારી રીતે સમજવામાં આવ્યો. કંઈ ખોટું નહોતું, કોઈ ખચકાટ ન હતો અને એકવાર પણ એવું કહેવામાં આવ્યું ન હતું કે તમારે T20 કેપ્ટનશીપ છોડવી જોઈએ નહીં.

 

વિરાટ કોહલીથી નારાજ સૌરવ ગાંગુલી!

તે સમજી શકાય છે કે ગાંગુલી આ બાબતથી ખૂબ નારાજ છે. પરંતુ બોર્ડના પ્રમુખ તરીકે તેઓ સામૂહિક નિર્ણય લેવાની તરફેણમાં હશે. બોર્ડના અનુભવી પ્રશાસકે કહ્યું, બીસીસીઆઈ માટે તે ખૂબ જ જટિલ છે. જો બોર્ડ નિવેદન જારી કરે છે, તો તે કેપ્ટનને ખોટા સાબિત કરશે. જો નિવેદન બહાર પાડવામાં નહીં આવે તો અધ્યક્ષ પર સવાલો ઉભા થશે. કોહલીના નિવેદનથી બોર્ડને ઘણું નુકસાન થયું છે અને તેથી વધુ કારણ કે વાતચીતનો અભાવ છે.

બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠે દાવો કર્યો હતો કે જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું કે શું ટી-20 કેપ્ટન છોડવું યોગ્ય રહેશે તો તેમાં નવ લોકો સામેલ હતા. જેમાં પાંચ પસંદગીકારો પ્રમુખ ગાંગુલી, સેક્રેટરી જય શાહ (Jay Shah), કેપ્ટન કોહલી અને રોહિત શર્મા (Rohit Sharma)નો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાક્રમે સાબિત કર્યું કે કેપ્ટન અને બોર્ડ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ છે. રોહિતને વન-ડે કેપ્ટન બનાવવા માટે ટ્વિટર પર એક લીટીની જાહેરાતમાં કોહલીનો ઉલ્લેખ ન કરવો તે ગૌરવપૂર્ણ નથી.

 

આ પણ વાંચોઃ Cricket: રોહિત શર્માને પરેશાન કરનાર હેમસ્ટ્રિંગ ની સમસ્યા શુ છે ? ખેલાડીઓ સતાવતી આ ઇજા કેવી રીતે પહોંચે છે ? જાણો

 

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલી આરપારની લડાઇ લડવા તલવાર ખેંચીને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપથી હટવા તૈયાર છે?

 

Published On - 9:50 pm, Wed, 15 December 21

Next Article