BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો

|

Sep 29, 2021 | 9:00 AM

અનિલ કુંબલે ન હાલમાં IPL માં પંજાબ કિંગ્સના કોચ છે. તે ટીમ સાથે યુએઈમાં છે. આઈપીએલ 2020 થી કુંબલે પંજાબના કોચ છે.

BCCI: અનિલ કુંબલે નહી બની શકે ટીમ ઇન્ડીયાના નવા હેડ કોચ, સૌરવ ગાંગુલી પક્ષ લેવામાં એકલો પડ્યો
Anil Kumble

Follow us on

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના નવા કોચની શોધ ચાલી રહી છે. BCCI એ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ T20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ ભારતીય ટીમના કોચ પદેથી અલગ થવાની જાહેરાત કરી છે. અનિલ કુંબલે (Anil Kumble), વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજોના નામ નવા કોચ માટે ચાલી રહ્યા છે. પરંતુ હવે તાજા સમાચાર એ છે કે કુંબલે ફરી ટીમ ઇન્ડિયાના કોચ બની શકશે નહીં.

BCCI ના ઘણા અધિકારીઓ આ દિગ્ગજને કોચ પદ આપવા માટે સહમત નથી. કુંબલેએ 2017 માં ભારતીય ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે તેના અણબનાવના અહેવાલો હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કુંબલે અને કોહલી વચ્ચે કોઈ સમજૂતી નહોતી અને ઘણી વસ્તુઓ પર બંને વચ્ચે મતભેદો હતા. આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના હાથે હાર બાદ કુંબલેએ પદ છોડ્યું હતું. આ પછી રવિ શાસ્ત્રી કોચ બન્યા. તેઓ અગાઉ ટીમ ડાયરેક્ટર હતા.

અનિલ કુંબલે હાલમાં IPL માં પંજાબ કિંગ્સના કોચ છે. તે ટીમ સાથે UAE માં છે. IPL 2020 થી કુંબલે પંજાબના કોચ છે. જો કે, તે આ ટીમને ફેરવી શક્યો નથી. છેલ્લી સીઝનમાં પણ પંજાબ પ્લેઓફમાં નહોતું ગયું અને IPL 2021 માં પણ એવું જ થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે ગાંગુલી ઇચ્છતો હતો કે કુંબલે 2017 માં પણ કોચ રહે. તેણે કોહલીની દલીલોને પડતી મૂકી હતી. ગાંગુલી તે સમયે BCCI ની ક્રિકેટ સુધારણા સમિતિના સભ્ય હતા. પરંતુ બાદમાં કોહલી સફળ રહ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિદેશી કોચ શોધી રહ્યા છીએ

મીડિયા અહેવાલ મુજબ કુંબલે પણ ટીમ ઈન્ડીયાના કોચ બનવા માટે ઉત્સુક નથી. રિપોર્ટમાં એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ન તો કુંબલે પાછા આવવા માંગે છે અને ન તો BCCI ના અધિકારીઓ એમ ઇચ્છે છે. માત્ર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી જ કુંબલેના પક્ષમાં હતા. હવે બોર્ડ એક વિદેશી કોચને શોધી રહી છે.

આગળ કહ્યુ, કુંબલે જાણે છે કે તેણે ટીમ ઇન્ડીયામાં એ જ જૂના ચહેરાઓ સાથે કામ કરવું પડશે. અહીં કંઈ નવું થયું નથી. તો પછી તે પાછો કેમ આવશે? દાદા (ગાંગુલી) દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી પરંતુ બાકીના અધિકારીઓ અસંમત હતા.

વીવીએસ લક્ષ્મણને પણ આ પદ નહીં મળે. જો કે, તે માટે માત્ર એકાદ મહિનાનો જ સમય છે. તેથી તે જોવાનું રહેશે કે કોઈ ફેરફાર આવે છે કે નહીં. વળી, કુંબલેનો રેકોર્ડ પણ જોવો જોઈએ. તે એટલો સારો નથી. IPL માં પંજાબ કિંગ્સ સાથે શું થઈ રહ્યું છે તે જુઓ. એવું માનવામાં આવે છે કે વર્તમાન બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચોઃ IPL 2021 ને લઇ મોટા સમાચાર, શિડ્યૂલમાં કર્યા ફેરફાર, આઇપીએલ ઇતિહાસમાં પ્રથમ વાર એક સમયે બે મેચ રમાશે

આ પણ વાંચોઃ IPL માં નવી 2 ટીમો ઉમેરવાને લઇને આ તારીખે BCCI કરશે એલાન, આગામી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો મેદાને ઉતરશે

Next Article