Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ

|

Nov 30, 2021 | 9:15 AM

આર અશ્વિને (R Ashwin) કાનપુર ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવા માટે હરભજન સિંહ (Harbhajan Singh) ને પાછળ છોડી દીધો છે અને હવે તે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ત્રીજો સૌથી સફળ બોલર છે.

Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ
R Ashwin

Follow us on

કાનપુર ટેસ્ટ (Kanpur Test) માં ભારતીય ટીમ (Team India) ભલે નિષ્ફળ રહી હોય પરંતુ ભારતીય સ્પિન બોલર આર અશ્વિન માટે આ મેચ ઘણી મહત્વની હતી. અશ્વિને (R Ashwin) આ મેચમાં 6 વિકેટ લીધી અને આ સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તે હવે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. સોમવારે તેણે હરભજન સિંહ (Harbhajan Singh) ને હરાવીને ટોપ થ્રીમાં પ્રવેશ કર્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં જે શાનદાર રમત દેખાડી છે તેને કારણે તે દેશના સફળ બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તે ટીમનો સૌથી અનુભવી અને સફળ સ્પિન બોલર છે. અશ્વિનની હાલની ફિટનેસ અને ફોર્મને જોતા એવું લાગે છે કે તે અનિલ કુંબલે (Anil Kumble) ને સરળતાથી પાછળ છોડી દેશે, જેણે દેશ માટે સૌથી વધુ 619 વિકેટ ઝડપી છે. જોકે, અશ્વિન ક્યારેય કુંબલેની વિકેટ તોડવા માંગતો નથી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અશ્વિન અનિલ કુંબલેનો રેકોર્ડ તોડવા માંગતો નથી

અશ્વિને આ વાત આજથી નહીં પરંતુ આજથી 5 વર્ષ પહેલા કહી હતી. વર્ષ 2017માં એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે લખ્યું, ‘ચોક્કસ. હું અનિલ કુંબલેનું વિશાળ સ્વરૂપ છું. તેમણે 619 વિકેટ લીધી છે. જો મને 618 મળે તો પણ તે મારા માટે મોટી વાત હશે. જે દિવસે હું 618 વિકેટ લઈશ, તે મારી છેલ્લી ટેસ્ટ મેચ હશે.” આ સાથે અશ્વિને તેની નિવૃત્તિની યોજના પણ સાફ કરી દીધી હતી.

 

અશ્વિન રેકોર્ડ પર ધ્યાન આપવા માંગતો નથી

અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે ટોમ લાથમને આઉટ કરીને 418મી વિકેટ લીધી હતી. હરભજને 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી હતી. સોમવારે કાનપુર ટેસ્ટના છેલ્લા દિવસ બાદ અશ્વિનને તેની સિદ્ધિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું, ‘મને કંઈ લાગતું નથી. આ એક સિદ્ધિ છે જે આવતી જ રહેશે, તે સારી વાત છે. રાહુલ (દ્રવિડ) ભાઈએ જ્યારથી સત્તા સંભાળી છે, તે કહેતા રહે છે કે તમે કેટલી વિકેટ લીધી, 10 વર્ષમાં તમે કેટલા રન બનાવ્યા, તે તમને યાદ નહીં હોય. મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ તેણે કહ્યું, “તે યાદો મહત્વની છે, તેથી હું આગામી ત્રણ-ચાર વર્ષમાં કેટલીક ખાસ યાદો સાથે આગળ વધવા માંગુ છું.”

 

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં વિરાટ કોહલી માટે કોણ રહેશે બહાર, અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ IND vs NZ: આ ભારતીય જોડી ટીમ ઇન્ડિયાની જીતની બની દુશ્મન! અંતિમ ત્રીસ મિનિટ બોલરોને બનાવી દીધા બેઅસર

Published On - 9:14 am, Tue, 30 November 21

Next Article