ઈસરો ચીફ બાદ હવે રોહિત શર્મા રચશે ઈતિહાસ! તિરુપતિ મંદિરની સાથે છે ખાસ કનેક્શન

ISRO ચીફ એસ સોમનાથ અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા વચ્ચે તિરુપતિ મંદિરનું કનેક્શન જોઈને જ ચાહકોને આશા થવા લાગી છે કે હવે રોહિત વર્લ્ડ કપ 2023માં પણ ઈતિહાસ રચશે. તેણે ગયા વર્લ્ડ કપમાં પણ રનનો વરસાદ કર્યો હતો.

ઈસરો ચીફ બાદ હવે રોહિત શર્મા રચશે ઈતિહાસ! તિરુપતિ મંદિરની સાથે છે ખાસ કનેક્શન
Rohit Sharma
| Edited By: | Updated on: Aug 26, 2023 | 1:07 PM

ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. ઈસરો (ISRO)ના વૈજ્ઞાનિકોએ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.  ભારત દક્ષિણ ધ્રુવ પર પગ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3  (Chandrayaan 3)ની સફળતા બાદ ઈસરો ચીફ એસ. સોમનાથ પૂરજોશમાં છે. સોમનાથની આગેવાનીમાં ભારતે ચંદ્ર પર તિરંગો ફરકાવ્યો હતો, હવે ટીમ ઈન્ડિયા (Team India)નો વારો છે.

એસ.સોમનાથ-રોહિત વચ્ચે તિરુપતિ મંદિરનું કનેક્શન

સોમનાથ બાદ હવે રોહિત શર્મા ધ્વજ ફરકાવવાની તૈયારી કરી રહ્યો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે ઈસરો ચીફ અને રોહિત વચ્ચે શું કનેક્શન છે, તો ચાલો તમને જણાવી દઈએ કે બંને વચ્ચે અદ્ભુત કનેક્શન છે અને તે કનેક્શનને કારણે આખો દેશ આશા રાખી રહ્યો છે કે હવે રોહિત પણ વર્લ્ડ કપમાં કમાલ કરશે.

વર્લ્ડ કપ પહેલા રોહિતે તિરુપતિ મંદિરમાં પૂજા કરી

વર્લ્ડકપ આડે દોઢ મહિનો જ સમય બાકી છે. ટીમ ઈન્ડિયાએ તૈયારી શરૂ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ મેદાનમાં ઉતરશે. રોહિતે ગયા વનડે વર્લ્ડ કપમાં રનનો વરસાદ કર્યો હતો. ફરી એકવાર તેનું બેટ ફાયર કરવાની તૈયારી કરી રહ્યું છે અને ઈસરો ચીફની સફળતા જોઈને ચાહકોને આશા છે કે હવે રોહિત સફળ થશે. એસ. સોમનાથ અને ભારતીય કેપ્ટન રોહિત વચ્ચે તિરુપતિ મંદિરનું કનેક્શન છે અને આ જ કારણ છે કે વર્લ્ડ કપમાં કેપ્ટનની સફળતાને લઈને ચાહકોની આશા વધી ગઈ છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ 5 સદીઓ ફટકારી

2019ની વાત કરીએ તો વર્લ્ડ કપની શરૂઆત પહેલા રોહિતે તિરુપતિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ પછી, તેણે તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 8 ઇનિંગ્સમાં 647 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 107.83 હતી. જ્યારે સ્ટ્રાઈક રેટ 98.9 હતો. રોહિતે ગયા વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી હતી. આ સાથે તે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ 5 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

ચંદ્રયાન પ્રક્ષેપણ પહેલા કર્યા હતા દર્શન

ઈસરોના ચીફ સોમનાથ પણ ચંદ્રયાનના પ્રક્ષેપણના એક દિવસ પહેલા તેમની ટીમ સાથે તિરુપતિ મંદિર ગયા હતા અને ત્યારબાદ તેમની ટીમે સાથે મળીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી સોમનાથની ટીમ દ્વારા કરવામાં આવેલા અદ્ભુત કામને આખી દુનિયા જોઈ રહી છે. રોહિત અને સોમનાથ બંનેએ તિરુપતિ મંદિરમાં દર્શન કર્યા બાદ ઈતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો : Yo Yo Test: યો-યો ટેસ્ટમાં રોહિત શર્મા સામે વિરાટ કોહલી હારી ગયો? વાયરલ ટ્વીટમાં ચોંકાવનારો દાવો

રોહિત પત્ની સાથે મંદિરે પહોંચ્યો હતો

હવે ફરી એકવાર બધાની નજર રોહિત શર્મા પર ટકેલી છે, કારણ કે ભૂતકાળમાં તે પત્ની રિતિકા સાથે ફરી એકવાર તિરુપતિ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. આ પછી હવે એશિયા કપની સાથે સાથે તે વર્લ્ડ કપ 2023 માટે પણ પોતાના અભિયાનની શરૂઆત કરશે. એશિયા કપ બાદ ભારત વર્લ્ડ કપ રમશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો