Gujarati News Sports Corona coronas successor after ipl can now jeopardize the planning of these important games the difficulty will increase
Corona: કોરાના વાઈરસ IPL બાદ હવે આ મહત્વની રમતોના આયોજનોને પણ ખતરામાં મુકી શકે છે, વધશે મુશ્કેલી
કોરોના વાઈરસને લઈને IPL 2021ની 14મી સિઝન અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. લીગને સુરક્ષિત બાયોબબલ સંક્રમણ જણાતા જ BCCIએ ગત મંગળવારે ટુર્નામેન્ટને અટકાવી દેવાનો નિર્ણય કર્યો હતો.
1 / 4
કોરોના વાઈરસને લઈને IPL 2021ની 14મી સિઝન અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. લીગને સુરક્ષિત બાયોબબલ સંક્રમણ જણાતા જ BCCIએ ગત મંગળવારે ટુર્નામેન્ટને અટકાવી દેવાનો નિર્ણય કર્યો હતો. આ ટુર્નામેન્ટને અટકાવી દેવાને લઈને અને વર્તમાનમાં દેશમાં કોરોનાની સ્થિતીને લઈને આવનારા અનેક આયોજનો પર તેની અસર પડી શકે છે.
2 / 4
ટોક્યો ઓલમ્પિક પર પણ અસર પડી શકે છે. ઓલમ્પિકનું આયોજન 23 જૂલાઈથી 8 ઓગષ્ટ દરમ્યાન થનારુ છે. જોકે આયોજનને લઈને હજૂ પણ આશંકાના વાદળો ઘેરાયેલા છે. જોકે આ દરમ્યાન ભારતીય એથલીટોની ચિંતાની સ્થિતી થોડી વધારે છે. કારણ કે દેશની હાલની સ્થિતીમાં ટ્રેનીંગ આસાન નથી. આવનારા કેટલાક સમય સુધી બીજી લહેરની સ્થિતી આમ જ રહી તો ભારતીય ખેલાડીઓને ટુર્નામેન્ટમાં શામેલ કરવા પર પણ ખતરો મંડરાઈ શકે છે.
3 / 4
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે. જેના માટે ભારતીય ટીમ હાલમાં કાર્યક્રમ મુજબ જૂન મહિનાથી જ ઈંગ્લેન્ડમાં રહેશે. જો ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ ટળી જાય અથવા કોરોના સંક્રમણને લઈને રદ થાય છે તો તેની સીધી અસર ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર પડી શકે છે.
4 / 4
સૌથી મહત્વની ટુર્નામેન્ટ ICC T20 વિશ્વકપનું આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોરોના વાઈરસના સંક્રમણને લઈને આઈપીએલ 2021ને સ્થગીત કરી દેવામાં આવી છે. ભારતમાં આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં T20 વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું છે. ICCએ પહેલાથી જ સંકેત આપી દીધા છે કે તેમની પાસે પ્લાન બી તૈયાર છે. હવે આઈપીએલના બાયોબબલમાં કોરોના સંક્રમણને લઈને BCCIની મુશ્કેલીઓ વધી શકે છે તો ICC પણ પોતાના પ્લાન બીને એક્ટીવ કરવા માટે મજબૂર બની શકે છે.