Former cricketers : ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ માટે BCCI પણ આગળ આવ્યું, બોર્ડની આવી યોજના છે

|

Sep 25, 2021 | 1:14 PM

ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર અંશુમન ગાયકવાડે, જેમણે ભારતીય ક્રિકેટર્સ એસોસિયેશન (ICA) નું ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એપેક્સ કાઉન્સિલની બેઠકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું,

Former cricketers : ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ માટે BCCI પણ આગળ આવ્યું, બોર્ડની આવી યોજના છે
bcci

Follow us on

Former cricketers :ભૂતપૂર્વ ઓપનર અંશુમન ગાયકવાડ, જેમણે ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનનું ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની એપેક્સ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કર્યું, શુક્રવારે કહ્યું કે, બોર્ડ ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શન દરખાસ્ત લાવવા માટે તૈયાર છે.

ICAની લાંબા સમયથી ચાલતી માંગમાં ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શનનો સમાવેશ થાય છે જેમણે 25 થી ઓછી ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો (Former cricketers) અને મહિલા સ્થાનિક ક્રિકેટરો માટે પેન્શનનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ ખેલાડીઓ માટે પેન્શન (Pension)માં સુધારા અંગે પૂછવામાં આવતાં ગાયકવાડે જણાવ્યું હતું કે, “છેલ્લી બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી. સૌરવ (BCCI પ્રમુખ ગાંગુલી) એ ખાતરી આપી છે કે તેઓ આગામી બેઠકમાં પ્રસ્તાવ લાવશે. “તે માત્ર પેન્શન વધારવા માટે નથી. જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓની વિધવાઓ માટે પેન્શન (Pension)નો ઉલ્લેખ હશે. અત્યારે 25 ફર્સ્ટ ક્લાસ મેચ રમનારાઓને પેન્શનનો લાભ મળે છે પરંતુ તે ધીમે ધીમે 10 પર આવી જશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બીસીસીઆઈ (Board of Control for Cricket in India)એ સોમવારે જાહેરાત કરી હતી કે, કોવિડ -19 (Covid-19)થી અસરગ્રસ્ત 2020-21 સીઝન માટે વળતર તરીકે ખેલાડીઓને 50 ટકા વધારાની મેચ ફી ચૂકવવામાં આવશે અને આગામી સીઝન માટે તેમની ફીમાં પણ વધારો કરવામાં આવશે. ભારતના ભૂતપૂર્વ કોચ ગાયકવાડે આ પગલાની પ્રશંસા કરી હતી. તેઓ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદી (Former Captain Bishan Singh Bedi)પરના પુસ્તક ‘સરદાર ઓફ સ્પિન’ના લોકાર્પણ પ્રસંગે બોલ્યા હતા.

IPL 2021 (Indian Premier League)માં, સુપર શનિવારની બીજી મેચ શારજાહમાં રમાનારી છે. જેને બોલરોનું કબ્રસ્તાન માનવામાં છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)અને પંજાબ કિંગ્સ (Punjab Kings)સામ સામે હશે. પહેલી તે ટીમ છે હાલ ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ છે અને બીજી ટીમ જે ઘાયલ છે. બંને માટે હવે હારવાની મનાઈ છે.

આવી સ્થિતીમાં જીત માટે જબરદસ્ત સંઘર્ષની આશા છે. પંજાબ કિંગ્સ (Punjab Kings)ઘાયલ છે કારણ કે, તેઓ રાજસ્થાન રોયલ્સ (Sunrisers Hyderabad) સામે જીતેલી મેચ અંતમાં હારી ગયા હતા. સનરાઇઝર્સને હંમેશા જીતની શોધ છે. કારણ કે તેઓ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 8 મેચ રમ્યા છે, તેમાંથી માત્ર 1 મેચ જીતી છે.

આ પણ વાંચો : Quad Summit 2021: ઈન્ડો-પેસિફિકની સુરક્ષા..કોરોના વેક્સીન.. ક્વાડ ફેલોશિપ, જાણો ક્વાડ લીડર્સની બેઠક બાદ કેટલી વસ્તુ પર સહમતી સધાઈ

આ પણ વાંચો : Quad Summit 2021: ક્વાડ દેશોની બેઠકમાં PM મોદીએ કહ્યું- હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સૌ સાથે મળી કરીશું કામ, બધાએ સાથે મળીને વિશ્વ માટે શાંતિ સ્થાપવી જોઈએ

Published On - 1:12 pm, Sat, 25 September 21

Next Article