નરેશ ચંદ્રએ (Naresh Chandra Saxena) ભૂતકાળમાં IAS અધિકારી તરીકે જવાબદારી નિભાવી હતી. તેમણે ભારતના આયોજન પંચના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓએ (PMO )ઓફિસથી માંડીને અમેરિકામાં ભારતના રાજદૂત સહિતની મહત્વની જવાબદારીઓ નિભાવી છે. તેમના ઉમદા કામ માટે તેમને વર્ષ 2007માં પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 1 જુલાઈ 1995ના રોજ રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું અને 1 માર્ચ 1996ના રોજ પદ છોડ્યું હતું. તેઓ આઇએએસ થયા તે અગાઉ તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. PMOમાં તેમના કાર્યકાળ પછી ચંદ્રાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
ધીરે ધીરે તેમની કારર્કિર્દી આગળ વધી અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન દ્વારા ચંદ્રાની રાજસ્થાનના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 1 જુલાઈ 1985ના રોજ મુખ્ય સચિવનું પદ સંભાળ્યું હતુું. ત્ચંયાર બાદ નરેશ ચંદ્રને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા કેન્દ્રીય સંરક્ષણ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 1 ફેબ્રુઆરી 1989ના રોજ સંરક્ષણ સચિવનું પદ સંભાળ્યું હતું અને તે 1 માર્ચ 1990 ના રોજ છોડી દીધું
ભારતના કેબિનેટ સચિવ ચંદ્રાને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 1 ડિસેમ્બર 1990ના રોજ કેબિનેટ સચિવનું પદ સંભાળ્યું હતું,પછી તેઓ 1 ડિસેમ્બર 1990ના રોજ સેવામાંથી નિવૃત્ત થયા કેબિનેટ સચિવ તરીકે, ચંદ્ર ભારતના પરમાણુ કાર્યક્રમના પ્રભારી અને સંયોજક હતા. ત્યારે તેમને “ભારતના પરિવારના ચાંદીના રક્ષક” તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
ચંદ્રાને 1996 માં ભારતના વડા પ્રધાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 1996 માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા રાજદ્વારી પદ માટે સમર્થન આપવામાં આવ્યું હતું. તેઓ 2001 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત તરીકે રહ્યા. ચંદ્રાનું 82 વર્ષની વયે 9 જુલાઈ 2017ના રોજ ઓર્ગન ફેલ્યોરના કારણે ગોવામાં અવસાન થયું હતું.