કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકાને રાષ્ટ્રીય મહામંત્રી નિયુક્ત કર્યા છે. રાહુલે આગામી લોકસભા ચૂંટણીને જોતા પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે અને પ્રિયંકા કદાચ 4 ફેબ્રુઆરીએ લખનઉમાં જઈ કૉંગ્રેસ મહામંત્રી તરીકે હોદ્દો સંભાળી શકે છે.
પ્રિયંકાની ચોતરફ ચર્ચાઓ વચ્ચે શું તમે આ વાત જાણો છો કે સોનિયા ગાંધી ક્યારેય નહોતા ઇચ્છતા કે તેમના બાળકો રાજકારણમાં આવે. સોનિયાનો આની સામે સખત વાંધો હતો.
પત્રકાર તલવીન સિંહે પોતાના પુસ્તક ‘દરબાર’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
‘દરબાર’માં લખવામાં આવ્યું છે, ‘વાતો-વાતોમાં જ સોનિયા ગાંધીને તવલીન સિંહે પૂછ્યું કે શું તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો રાજકારણમાં આવે ? જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા બાળકો રોડ પર ભીખ માંગી લેશે, પણ રાજકારણમાં ક્યારેય નહીં આવે.’
જોકે સોનિયા ગાંધીએ તવલીન સિંહ સાથેની આ વાતચીત પોતાના પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ ભાવુકતામાં આ નિવેદન આપ્યું હશે, પરંતુ આજે તો સોનિયા ગાંધીના બંને બાળકો રાહુલ અને પ્રિયંકા રાજકારણમાં આવી ચુક્યાં છે.
[yop_poll id=801]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]