
ઉત્તર ગુજરાતના પ્રવાસના અંતિમ દિવસે ફરી એકવાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને સંબોધનમાં કહ્યું હતું કે વિધાનસબાની 182 બેઠક ભાજપે જીતવાની છે અને તમામ પર 25000થી ઓછી લીડ મંજુર નથી સાથે જ 4 બેઠક કે જે ભાજપ ક્યારેય નથી જીતી શક્યું તે પણ જીતવાનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો હતો. જણાવવું રહ્યું કે આગળ પણ આ દાવો પાટીલ કરી ચુક્યા છે અને અર 182 બેઠક નથી જીતી શકાતી તો તેમણે રાજીનામું આપી દેવાની પણ વાત કરી હતી ત્યારે જોવાનું એ રહે છે કે ભાજપનાં વના વરાયેલા આ પ્રદેશ પ્રમુખ બાજપનાં કાર્યકરોમાં કેટલો ઉત્સાહનો સંચાર કરી શકે છે. આજે ગાંધીનગર થી સીધા ડૉ નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે પહોચ્યા હતા જ્યાં ફરી એકવાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સ્વાગત કરવા ઉમટ્યા હતા અને સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. પાટીલે અપેક્ષિત કાર્યકર્તાઓ અને સીનીયર કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:36 pm, Sat, 5 September 20