પોતાના બળે જીતી જતા હોય એમ માનનારા ખાંડ ફાંકજો, કાર્યકરોના બળ પર જીતો છો: સી.આર.પાટીલ

|

Sep 19, 2020 | 1:24 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા. ઉતર ગુજરાતના છેલ્લા દિવસના પ્રવાસને લઈને આજે હિંમતનગર અને મોડાસામાં બેઠક યોજી હતી. આ દરમ્યાન સીઆર પાટીલે તેમના પદ સંભાળ્યા ત્યારથી રહેલા તેજ તર્રાર તેવર પ્રમાણે જ આજે હિંમતનગરમાં કાર્યકર્તાઓની બેઠક દરમ્યાન પોતાની વાતો રજુ કરી હતી. ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર […]

પોતાના બળે જીતી જતા હોય એમ માનનારા ખાંડ ફાંકજો, કાર્યકરોના બળ પર જીતો છો: સી.આર.પાટીલ

Follow us on

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા. ઉતર ગુજરાતના છેલ્લા દિવસના પ્રવાસને લઈને આજે હિંમતનગર અને મોડાસામાં બેઠક યોજી હતી. આ દરમ્યાન સીઆર પાટીલે તેમના પદ સંભાળ્યા ત્યારથી રહેલા તેજ તર્રાર તેવર પ્રમાણે જ આજે હિંમતનગરમાં કાર્યકર્તાઓની બેઠક દરમ્યાન પોતાની વાતો રજુ કરી હતી. ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ધારાસભ્યોએ પોતાના કાર્યકર્તાઓનું કામ કરવા માટે સુચના આપતા આકરા તેવર દર્શાવતા કડકાઈથી કહ્યુ હતુ કે જે ધારાસભ્યો એમ સમજતા હોય કે પોતે ચૂંટાઈ જાય છે તો તે પોતાની રીતે ચૂંટાતા હોય એવુ માનતા હોય તો ખાંડ ફાંકે, બાકી તેઓ કાર્યકર્તાઓના કારણે જીતે છે માટે કાર્યકર્તાઓના કામ કરે અને તેમને સાંભળે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રદેશ ભાજપના અધ્યક્ષના આકરા તેવર દર્શાવતા વેણને લઈને ઉપસ્થિત કાર્યકર્તાઓ અને પક્ષ માટે રાતદિવસ પરીશ્રમ કર્તા સભ્યોના ચહેરાની લકીરો આનંદથી બદલાઈ ગઈ હતી કે, પાર્ટીમાં હવે પોતાની ચિંતા થવા લાગી છે અને આ વાતની અપેક્ષા છેલ્લા કેટલાય સમયથી કાર્યકરો સેવી રહ્યા હતા. ધારાસભ્યો અને સાંસદ સભ્યો પોતાના મત વિસ્તારમાં ચૂંટાઇ આવ્યા બાદ જાણે કે પોતાની જીતને કેટલીકવાર વ્યક્તિગત શ્રમને શ્રેય આપતા હોય એમ  લાગતુ હોય છે. પરંતુ આ જ વાતને સીઆર પાટીલે આજે જાહેરમાં છેડીને ચૂંટાયેલા સભ્યોને ફરી એકવાર ચોંકાવી દીધા હતા અને તેમને હવે કાર્યકરોની ચિંતા કરવા માટેનું દિશા સુચન હિંમતનગરની બેઠકમાં કર્યુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વિધાનસભાની બેઠક ગુમાવવાની વાતને લઈને સીઆર પાટીલે ટકોર કરી હતી કે વિધાનસભા બેઠક જીતવી એ મોટી વાત છે અને આ બાબત પર સંગઠન પણ સ્થાનિક સ્તરે ધ્યાન આપે અને ગુમાવેલી બેઠકોને કેવી રીતે જીતી શકાય તે દિશામાં પણ સંગઠને કામ કરવા પર ભાર મુક્યો હતો. સીઆર પાટીલ હિંમતનગરમાં આવતા અગાઉ તેમના સ્વાગતના વિવિધ કાર્યક્રમો મોકુફ કરી દેવાયા અને તેઓ સીધા જ હિંમતનગર ટાઉન હોલ ખાતે બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ લાંબો સમય ફાળવ્યો હતો અને કાર્યક્રમને અંતે 650થી વધુ કાર્યકર્તાઓ સાથે એક પછી એક ફોટો પડાવી તે ફોટોને ફ્રેમ સાથે હોલ ખાતે તરત જ કાર્યકરોને આપવામાં આવતા કાર્યકર્તાઓમાં પણ આનંદ વ્યાપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:17 pm, Sat, 5 September 20

Next Article