નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા બાદ મળેલી તમામ ભેટોને હરાજી કરીને તેમાંથી આવનારી આવકને ગંગા નદીના સફાઈ અભિયાનમાં વાપરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
હરાજી થનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોમાં વિવિધ દેશોની વસ્તુઓ જેવી કે ચિત્રો, મૂર્તિઓ, શાલ, પાઘડી, જેકેટ અને પારંપારિક સંગીતના સાધનોનો પણ સમાવેશ થાય છે. આ હરાજી દિલ્હી ખાતે 27 અને 28 જાન્યુઆરીના રોજ નેશનલ ગૅલેરી ઑફ મૉડર્ન આર્ટમાં યોજાશે. આ તમામ 1900 ભેટને હાલ પુરતી લોકો જોઈ શકે તે માટે નેશનલ ગૅલેરી ઑફ મૉર્ડન આર્ટ ખાતે રાખવામાં આવી છે.
[yop_poll id=747]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:34 pm, Tue, 22 January 19