PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે

|

Feb 06, 2021 | 10:03 PM

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે.

PM Modi 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળના પ્રવાસે, ટ્વીટ કરીને જણાવ્યું શું ભેટ આપશે
PM Modi (File Photo)

Follow us on

PM Modi રવિવારે 7 ફેબ્રુઆરીના રોજ  અસમ અને બંગાળના પ્રવાસ પર જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ શકે છે. PM Modi છેલ્લા 16 દિવસમાં બીજી વખત અસમ અને બંગાળ જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. તેમજ PM Modiની આ મુલાકાતથી ભાજપના મિશનને વધુ બળ મળશે. પીએમ  મોદીએ શનિવારે સાંજે એક પછી એક ટ્વીટ કરીને તેમની મુલાકાત વિશે માહિતી આપી છે. તેમણે અંગ્રેજી સિવાય બાંગ્લા ભાષામાં પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ રાજ્ય અને રાષ્ટ્રને કંઈ ભેટો આપવા આવી રહ્યા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

PM Modi ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે સાંજે હું પશ્ચિમ બંગાળના હલ્દિયામાં રહીશ. હું બીપીસીએલ દ્વારા બનાવવામાં આવેલ એલપીજી આયાત ટર્મિનલ દેશને સમર્પિત કરીશ. આ સિવાય વડાપ્રધાન ઉર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ દોભી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઈપલાઈન સેકશનને રાષ્ટ્રને પણ સમર્પિત કરશે. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે તેઓ હલ્દીયા રિફાઈનરી બીજા કેટેલિટીક-ઈસોડેવેક્સિંગ યુનિટનો શિલાન્યાસ કરશે, આ ઉપરાંત એનએચ 41 પર રાનીચક, દલદિયા રેલ ઓવર બ્રિજ કમ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન પણ કરશે.

 

અસમ માટે શું ઉપહાર 

અસમના કાર્યક્રમની વિગતો આપતાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે હું આસામના લોકો વચ્ચે રહીશ. સોનીતપુર જિલ્લાના ધેકિયાજુલીમાં ‘અસોમ માલા’ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જે રાજ્યના રોડ માળખાને મજબૂત બનાવશે. જેના લીધે અસમની આર્થિક પ્રગતિમાં યોગદાન મળશે અને કનેક્ટિવિટીમાં સુધારો થશે. એક અન્ય ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું વિશ્વનાથ અને છારાઈડ ‘મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવશે. આનાથી અસમમાં આરોગ્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અસમએ આરોગ્ય સંભાળમાં ઝડપી વૃદ્ધિ કરી છે. આનાથી માત્ર અસમ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વને ફાયદો થયો છે.

 

આ પણ વાંચો: ગુજરાત માટે ગર્વની વાત, મહેસાણાના આ શિક્ષકની વિશ્વભરમાં થઈ ‘વાહવાહી’

Next Article