પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી પર બોલ્યા PM Modi, બહુમતીથી સરકાર ચાલે છે, સહમતિથી દેશ

PM Modi એ ગુરુવારે જન સંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી પર બોલ્યા PM Modi, બહુમતીથી સરકાર ચાલે છે, સહમતિથી દેશ
| Edited By: | Updated on: Feb 11, 2021 | 4:42 PM

PM Modi એ ગુરુવારે જન સંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન PM Modi એ કહ્યું કે ભારત પ્રથમ રાષ્ટ્રની ભાવનાથી આગળ વધી રહ્યો છે.  પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશમાં અનેક સકારાત્મક બદલાવ  આવી રહ્યાં છે, ત્યારે આખા વિશ્વમાં ભારતનું કદ વધતું જાય છે, તો પછી એવો ભારતીય કોણ હશે જેની છાતી પહોળી ના થાય. આજે વિશ્વભરમાં ફેલાયેલો  ભારતીય સમુદાય જે ગર્વ સાથે જીવે છે તેનું કારણ ભારતની ગતિવિધિઓ છે. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે  ભારતને શસ્ત્રો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આજે ભારત આ મામલે આત્મનિર્ભર બની ગયું છે.

PM Modi  એ કહ્યું કે વર્ષ 1965 માં ભારત-પાક યુદ્ધ દરમિયાન ભારતે શસ્ત્રો માટે વિદેશી દેશો પર નિર્ભર રહેવું પડ્યું હતું. દીનદયાળજીએ તે સમયે કહ્યું હતું કે આપણે એક એવું ભારત બનાવવાની જરૂર છે જે ફક્ત કૃષિ ક્ષેત્રમાં જ નહીં, પણ સંરક્ષણ અને શસ્ત્રોમાં પણ નિર્ભર છે. આજે ભારતમાં સંરક્ષણ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે, મેઇડ ઇન ઈન્ડિયા  શસ્ત્રો બનાવવામાં આવી રહ્યા છે અને તેજ જેવા લડાકુ વિમાનો બનાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે અમે રાજકારણમાં સર્વસંમતિને મહત્વ આપીએ છીએ. મેં સંસદમાં કહ્યું હતું કે બહુમતીથી  સરકાર ચાલે  છે પરંતુ દેશ સંમતિથી ચાલે છે. અમે માત્ર સરકાર ચલાવવા નથી આવ્યા  દેશને આગળ લઇ જવા માટે આવ્યા છીએ. અમે ચૂંટણીમાં એકબીજા વિરુદ્ધ લડીએ છીએ તેનો અર્થ એ નથી કે આપણે એકબીજાનું સન્માન નથી કરતા.

PM Modi  એ કહ્યું કે, આજે આત્મ નિર્ભર  ભારત અભિયાન દેશના ગામડા-ગરીબ, ખેડુતો, મજૂરો અને મધ્યમ વર્ગનું ભવિષ્ય નિર્માણનું માધ્યમ બની રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં મોટું પરિવર્તન સામાન્ય માનવીનું જીવન સરળ બનાવશે, જે દેશને નવી અને ભવ્ય ઓળખ આપશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે સામાજિક જીવનમાં નેતા કેવો હોવા જોઈએ ભારતની લોકશાહી અને મૂલ્યો કેવી રીતે જીવવા જોઈએ. દીનદયાળજી  તેનું એક મોટું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે કોરોના કાળમાં દેશએ અંત્યોદયની ભાવના સામે રાખી અને છેવાડામાં રહેલા ગરીબની સંભાળ રાખી. આત્મનિર્ભરતાની શક્તિથી  દેશના એકાત્મક માનવતા દર્શનને સિદ્ધ કર્યો. સમગ્ર વિશ્વમાં દવાઓ પહોંચાડી અને આજે રસી પહોંચાડી રહ્યું છે.