સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ

|

Jan 26, 2019 | 1:52 PM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય. પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં […]

સોમનાથ અને અંબાજી જનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, વર્ષોથી મંદિર પરિસરની આજુબાજુમાં ચાલનારી માંસ-મટનની દુકાનોનું લાવ્યું નિવારણ
Ambaji and Somnath Temple

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના બે મુખ્ય યાત્રાધામ અંબાજી અને સોમનાથને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ મંદિરના વિસ્તારના 500 મીટરના વિસ્તારમાં હવે ખુલ્લેઆમ લારીઓમાં કે દુકાનો માંસ-મટન નહીં વેચી શકાય.

પહેલાં બંને યાત્રાધામો અંબાજી અને સોમનાથના આજુબાજુના વિસ્તારમાં આવેલાં લારીગલ્લાં અને દુકાનો પર ખુલ્લે આમ માંસ-મટન અને ઈંડાનું વેચાણ કરવામાં આવતું હતું. આના લીધે મંદિરમાં આવનાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુંઓની લાગણી દૂભાતી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સોમનાથ અને અંબાજી મંદિરના આજુબાજમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકવા માટે પહેલાં પણ ઘણીવખત સત્તાધીશોને શ્રદ્ધાળુઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ઘણી બધી રજુઆતોને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ આ મુદ્દાને ધ્યાનમાં લઈને તેના પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો છે. આદેશ બાદ હવે અંબાજી અને સોમનાથ મંદિરના પરિસરના 500 મીટર વિસ્તારમાં કોઈપણ પ્રકારના માંસ-મટન કે ઈંડા જેવી વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં.

TV9 Gujarati

 

[yop_poll id=831]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:46 pm, Sat, 26 January 19

Next Article