Navsari: અનેક જગ્યાઓ પર તમે રસ્તાઓ ખરાબ હોવાની વાત સાંભળતા કે અનુભવતા હશો. પણ, નવસારીમાં રસ્તા તુટવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. કારણ કે, નવસારીના હાર્દ સમો નવો બનેલો રીંગ રોડ એક વર્ષ પહેલા પુરા 30 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો. જે ફક્ત એક જ વર્ષમાં તુટી ગયો છે.. તેના કારણે વાહન ચાલકોને પણ તકલીફો પડી રહી છે. બિસ્માર રસ્તાથી રાહદારીઓ પરેશાન છે. આટલી મોટી રકમ ખર્ચીને બનાવેલો રીંગ રોડ માત્ર એક જ વર્ષમાં કથળી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થવા લાગ્યાં છે.
Published On - 8:54 am, Sat, 23 January 21