
નાવેદ અંતુલેના શિવસેના સાથે જોડાવાથી કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સુનીલ તટકરેને મોટો ફટકો પડી શકે છે. કેમ કે રાયગઢમાં અંતુલેને માનનારો મોટો વર્ગ છે. સ્વ. એ. આર. અંતુલેને કારણે સુનીલ તટકરે પણ રાજકારણમાં આવ્યા હતા. જોકે તટકરેએ તેમના જ પુત્રની ઉપેક્ષા કરી, જેને કારણે નારાજ નાવેદ અંતુલેને આ પગલું ભરવું પડ્યું. નાવેદ રાયગઢ બેઠક પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સુનીલ તટકરેના વિરોધમાં અને શિવસેનાના ઉમેદવાર અનંત ગીતેનો પ્રચાર કરશે.
નાવેદ અંતુલેએ કહ્યું કે એક સાચા શિવ સૈનિકનો ધર્મ છે કે તે પાર્ટી અધ્યક્ષનો આદેશ માને. તેથી ઉદ્ધવ ઠાકરે અમને જે આદેશ આપશે, તેનું અમે પૂરેપૂરું પાલન કરીશું. હું સુનીલ તટકરેથી નારાજ નથી, તેમનાથી નારાજગી શા માટે ? તેમણે તો મને તક આપી કે હું શિવસેનામાં પ્રવેશ કરું
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 showdesc=1 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]