તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રેદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામેના મહાગઠબંધનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત પહેલા તેઓએ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સુધાકર રેડ્ડી અને ડી. રાજા સાથે પણ મુલાકાત કરી હતી. ચંદ્રબાબૂ ભાજપ વિરોધી મહાગઠબંધન બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચો: મતદાનના એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ફરી ભડકી હિંસા, BJP-TMCના કાર્યકર્તાઓ વચ્ચે થઇ મારામારી
ચંદ્રબાબૂ શનિવારે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને LJD નેતા શરદ યાદવ સાથે પણ મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. આ ઉપરાંત સાંજે લખનૌમા BSP પ્રમુખ માયાવતી અને SP પ્રમુખ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરવાનું આયોજન કરેલ છે.
સૂત્રોના જણાવ્યા મૂજબ ચંદ્રબાબૂની રાહુલ ગાંધી સાથે એક કલાક મુલાકાત ચાલી હતી અને 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામે બધી જ પાર્ટીઓને એક સાથે લાવવાની ચર્ચા થઇ હતી. ચંદ્રબાબૂએ કહ્યુ કે ભાજપને સરકાર બનાવવા માટે પૂરતી સીટો નથી મળતી અને તો પણ સરકાર બનાવવા માટે જો દાવો કરે તો તેવી પરિસ્થિતી માટે રણનિતી તૈયાર કરવી પડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]