‘જય શ્રી રામ’ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ

|

May 19, 2019 | 9:07 AM

ચૂંટણીના 7માં અને અંતિમ તબક્કાનું લોકસભાની 59 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાને લઇને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. TMCનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પણ વડાપ્રધાન […]

જય શ્રી રામ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ

Follow us on

ચૂંટણીના 7માં અને અંતિમ તબક્કાનું લોકસભાની 59 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે. ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાને લઇને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. TMCનું કહેવું છે કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાનું કવરેજ TV પર સતત પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે જે ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને પ્રસારણને તાત્કાલિક રોકવું જોઈએ.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે કેદારનાથ પહોંચેલા વડાપ્રધાન વિકાસ પરિયોજનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમજ તેઓ મતદારોને પ્રભાવિત કરવાના પણ પ્રયત્નો કરી રહ્યાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. TMCએ ચૂંટણી પંચને સત્વરે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કહ્યું કે આ પ્રકારનો ચૂંટણી પ્રચાર અનૈતિક છે.

TV9 Gujarati

 

19મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા પછી તેઓ બદ્રીનાથ ગયા અને ત્યાં પણ પૂજા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મેના રોજ કેદારનાથ પહોંચ્યા હતા, જ્યાં પૂજા કરી અને ગુફામાં તપસ્યા કરી હતી અને આ જ વાતને લઇને TMCએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article