ગુજરાતમાં છ મહાનગરપાલિકાના 6 મહાનગરોની મનપાની ચૂંટણીમાં સરેરાશ 43 ટકાથી વધુ મતદાન થયું છે. નીરસ મતદાનથી તમામ ઉમેદવારોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. જયારે ચૂંટણીના પરિણામો 23મી ફેબ્રુઆરીએ જાહેર થશે. જુદી-જુદી મહાનગરપાલિકાના મતદાનના આંકડા પર જો એક નજર કરવામાં આવે તો અમદાવાદ 36% મતદાન, વડોદરા 43% મતદાન, સુરત 41% મતદાન, રાજકોટ 46% મતદાન, ભાવનગર 44% મતદાન, જામનગર 50% મતદાન થયું છે. સૌથી વધુ જામનગરમાં 50% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 36% ટકા મતદાન થયું છે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાના 144 વોર્ડની કુલ 576 બેઠક માટે યોજાનાર ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારો તેમના નસીબ અજમાવી રહ્યાં હતા . જેમાં ભાજપના (BJP) 575 ઉમેદવારો, કોંગ્રેસના (CONGRESS) 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટી ( AAP ) ના 469 તેમજ અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ 668 ઉમેદવારો સહીત કુલ 2276 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.
ભાજપ-
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની છ મહાનગરપાલિકાની 576 બેઠકો ઉપર ઉમેદવારોને ચૂંટણી લડાવી રહ્યું છે. ગુજરાતની છ એ છ મહાનગર પાલિકાની તમામે તમામ બેઠક ઉપર એક માત્ર ભારતીય જનતા પાર્ટી જ ચૂંટણી લડી રહ્યું છે. અમદાવાદના નારણપૂરા વોર્ડની એક બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરાની તમામે તમામ બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે.
કોંગ્રેસ-
કોંગ્રેસ માત્ર વડોદરા મહાનગરપાલિકાની તમામે તમામ 76 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસે છ મહાનગરપાલિકાની 576 બેઠકની સામે 564 ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે. કોઈને કોઈ કારણોસર અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, અને જામનગરમાં 12 ઉમેદવારો ચૂંટણી નથી લડી રહ્યાં.
અન્ય-
આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પોતાનું રાજકીય ભવિષ્ય અજમાવી રહ્યા છે. પરંતુ આ બન્ને પક્ષ મહાનગરપાલિકાઓની ભાજપ કે કોંગ્રેસની માફક તમામે તમામ બેઠકો પર નથી લડી રહ્યાં માત્ર ગણતરીની બેઠકો ઉપર જ ચૂંટણી લડી રહ્યાં છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન | વોર્ડ | બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય | કુલ ઉમેદવારો |
અમદાવાદ | 48 | 192 | 191 | 188 | 156 | 238 | 773 |
સુરત | 30 | 120 | 120 | 117 | 113 | 152 | 484 |
વડોદરા | 19 | 76 | 76 | 76 | 41 | 86 | 279 |
જામનગર | 16 | 64 | 64 | 62 | 48 | 62 | 236 |
રાજકોટ | 18 | 72 | 72 | 70 | 72 | 79 | 293 |
ભાવનગર | 13 | 52 | 52 | 51 | 39 | 69 | 211 |
કુલ | 144 | 576 | 575 | 564 | 469 | 668 | 2276 |
6 મહાનગરોની મનપાની ચૂંટણીમાં સરેરાશ 43 ટકાથી વધુ મતદાન થયું છે. નીરસ મતદાનથી તમામ ઉમેદવારોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. જયારે ચૂંટણીના પરિણામો 23મીએ જાહેર થશે
સી આર પાટીલે કહ્યું 6 મહાનગરમાં ઓછુ મતદાન થયું છે પરંતુ ભાજપ તરફી થયું છે તેવોઆશાવાદ વ્યક્ત કર્યો હતો
6 મહાનગરોની મનપાની ચૂંટણીનું મતદાન સમય પૂર્ણ થયો છે. હવે માત્ર મતદાન મથક પર હાજર મતદારો જ મતદાન કરી શકશે
અમદાવાદ 36% મતદાન
વડોદરા 43% મતદાન
સુરત 41% મતદાન
રાજકોટ 46% મતદાન
ભાવનગર 44% મતદાન
જામનગર 50% મતદાન
સૌથી વધુ જામનગરમાં 50% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 36% ટકા મતદાન થયું છે.
નિરસ મતદાન થી નેતાઓ ચિંતિત થયા છે. લોકો પણ છેલ્લી ઘડીએ મતદાન કરવા માટે કતારો લગાવી હતી.
અમદાવાદ : મતદાર યાદીમાં નામ નહિ હોવાથી વંચિત રહ્યાના આક્ષેપ લગાવી રહ્યા છે.
અમદાવાદ 32% મતદાન
રાજકોટ 44% મતદાન
સુરત. 37% મતદાન
વડોદરા 41% મતદાન
ભાવનગર. 44% મતદાન
જામનગર 45% મતદાન
સૌથી વધુ જામનગરમાં 45% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 32% ટકા મતદાન થયું છે
ક્યાંક 80 વર્ષ, ક્યાંક 104 વર્ષ તો ક્યાંક 94 વર્ષના વયના લોકોએ મતદાન કર્યું છે.
અત્યાર સુધી અમદાવાદમાં 31 ટાકા જ મતદાન થયું છે જે 6 મહાનગરોમાં અત્યાર સુધી સૌથી આછું મતદાન ધરાવતું શહેર બન્યું છે. જયારે મતદાનની રેસમાં સૌથી આગળ જામનગર છે કે જ્યાં અત્યારસુધી 42 ટકા મતદાન નોંધાયું છે.
ત્રિપદા સ્કૂલ પર આપના ઉમેદવાર અમિત પંચાલ પર હુમલાનો કેસ બાબતે કરણી સેનાના રાજ શેખવત પણ અમિત પંચાલના સમર્થનમાં ત્રિપદા સ્કૂલ પહોંચ્યા છે.પંચાલનોઆક્ષેપ હતો કે ભાજપનાકાર્યકરો મતદાનમથકની 100 મીટર અંદર ભાજપની પ્રચાર સામગ્રી રાખીને બેઠા હતા જેની ફરિયાદ ચૂંટણી અધિકારીને કરતા ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા
શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં RAF અને BSF ની એક એક કંપની તૈનાત કરાઈ
ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB સહિતની તમામ એજન્સીઓ સંવેદનશીલ વિસ્તારોમાં ખડેપગે
રાજકોટમાં મતદાન કાર્ય બાદ મીડિયાને સંબોઘતા રૂપાણીએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં વિકાસ જ મુખ્ય મુદ્દો હતો. તેને લોકોનો આભાર માન્યો હતો કે તેની પ્રાર્થનાઓથી તે આટલા જલ્દી કોરોના માંથી સાજા થયા છે.
પત્ની સાથે મતદાન બાદ મુખ્ય પ્રધાને મીડિયાને સંબોધી હતી અને ગુજરાત ભરમાં શાંતિ પૂર્ણ મતદાન થઇ રહ્યું છે તેવું તેના એક નિવેદનમાં કહ્યું હતું. તેમજ કોરોના દર્દીઓને તાત્કાલિક સારવાર લેવા તેમજ વિશેષ કાળજી લેવા અપીલ કરી હતી. અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના વોર્ડ નં 10ની જ્ઞાન મંદિર શાળાના રૂમ નં 7માં મતદાન કર્યું.
અમદાવાદથી એર એમ્બ્યુલન્સમાં મતદાન કરવા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટ પહોંચી ગયા છે.
અમદાવાદ : કાંતોડિયા વાસમાં શાળા નં 24માં કોંગ્રેસે બોગસ મતદાનની ફરિયાદ કરી છે.અંદાજે 12 જણાના નામ પર ખોટી રીતે બોગસ મતદાન કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ છે
સગર્ભા મહિલાએ બાળકને સર.ટી.હોસ્પિટલમાં જન્મ આપ્યા બાદ મત દેવાની ઈચ્છા વ્યક્ત કરી
ખિલખિલાટના અધિકારીઓએ મહિલા અને બાળકને ઘરે મુકવા જતા પહેલા હાદનગરમાં મતદાન મથકે મહિલાને મતદાન કરાવ્યું
કાળિયાબીડ વિસ્તારમાં બુથ નંબર 30 માં બે વાર ઇવીએમમાં ખામી સર્જાતા મતદાન ઉભું રહ્યુ અને આખરે ઇવીએમ બદલાવ્યું
વોર્ડ નંબર 11માં વામ્બે આવાસ યોજના નજીક આવેલી સરકારી શાળામાં બુથ નંબર 2માં એક ઇવીએમમાં તોડફોડ થતા હાલ મતદાન બંધ કરવામાં આવ્યું છે. જો કે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
અમદાવાદ : શહેરમાં નીરસ મતદાન હોવાથી એક્ટ્રેસ આરતી જોશીએ મતદાન કરવા લોકોને અપીલ કરી છે.
અમદાવાદ : ખાડીયામાં રાજા મહેતાની પોળમાં શાળા નંબર 12 માં બોગસ વોટિંગના આક્ષેપને લઈને કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોએ હોબાળો મચાવ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે.
અમદાવાદ : ભાજપ નેતા આઇ કે જાડેજા , શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિતની ટીમ રાઉન્ડ પર નીકળયા છે. ઘટતા મતદાન ના કારણે નેતાઓની વધી ચિંતા છે.
અમદાવાદ 30% મતદાન
રાજકોટ 31% મતદાન
સુરત. 34% મતદાન
વડોદરા 34% મતદાન
ભાવનગર. 33% મતદાન
જામનગર 39% મતદાન
સૌથી વધુ જામનગરમાં 39% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 30% ટકા મતદાન થયું છે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મતાધિકારનો ઉપયોગ કરવા એર એમ્બ્યુલન્સથી રાજકોટ મતદાન કરવા રવાના થઇ ગયા છે. મતદાન કરવા માટે આયોગ દ્વારા અમલમાં મુકેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરશે CM રૂપાણી. રાજકોટની જ્ઞાનમંદિર શાળાના રમ નં 7માં મતદાન કરશે CM રૂપાણી
અમદાવાદ : ઘાટલોડિયાની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ પર આપના ઉમેદવાર પર હુમલો થયાના સમચર મળી રહ્યા છે.
ભાજપના કાર્યકર્તાઓએ આપના ઉમેદવાર અમિત પંચાલ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.
આપ ઉમેદવાર પર હુમલો કરી કપડા પણ ફાડી નાખ્યા છે.
કોંગ્રેસના આગેવાનોને સાંજના સમયે મતદાન પ્રક્રિયા પર નજર રાખવા માટેની સૂચના અપાઈ છે.
મતદાન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ પર નજર રાખવા ટકોર કરી .
કોરના સામે જંગ જીતેલા ગુજરાતનાં મુખ્યપ્રધાન અમદાવાદથી રાજકોટ એર એમ્બ્યુલન્સમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા થોડીવારમાં રાજકોટ રવાના થશે.
અમદાવાદ 22% મતદાન
રાજકોટ 28% મતદાન
સુરત. 28% મતદાન
વડોદરા 28% મતદાન
ભાવનગર. 31% મતદાન
જામનગર 29% મતદાન
સૌથી વધુ ભાવનગરમાં 31% ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 22 ટકા મતદાન થયું છે.
જામનગર : બપોર બાદ પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યોછે. મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. યુવા મતદારોએ મતદાન કરી અને અચૂક પણે મતદાન કરવા માટેની અપીલ કરી છે
રાજકોટ અને અમદાવાદમા નિરસ મતદાન થતા ભાજપની ચિંતા વધી છે અને આગેવાનો કાર્યકર્તાઓનએ લોકોને મતદાન કરવાની અપીલ કરવા સૂચનાઓ અપાઈ હતી
કોરોના સામે જંગ જીતી ચૂકેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી એર એમ્બ્યુલન્સથી રાજકોટ મતદાન કરવા જશે
અમદાવાદના ભાઈપુરામાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો
વોર્ડમાં સ્થાનિકોએ થાળી વેલણ વગાડીને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.
રાજ્યની 6 મહાનગરપાલિકામાં ચૂંટણીની આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 વાગ્યા સુધીમાં અંદાજે 26 ટકા મતદાન થયું છે. નીરસ મતદાનને લઈને રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ સાથે જ છેલ્લી કલાકોમાં મતદાન વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભાજપ દ્વારા પેઇજ સમિતિને સોંપાઇ જવાબદારી. મતદારોને મતદાન મથક સુધી લઇ જવા માટે સોંપાઇ જવાબદારી. કોંગ્રેસના નેતાઓ પણ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડના કરી રહ્યા છે મથામણ.
દિપક બાબરીયાએ કર્યો મતાધિકારનો ઉપયોગ. કોંગ્રેસના નેતા દિપક બાબરીયાએ EVM પર ઉઠાવ્યા સવાલો. EVM સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટેડ છે
રાજકોટ મતદાન કરવા આવેલા વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉમેદવારોની વય મર્યાદા નક્કી હોવી જોઇએ.કોર્પોરેશન,વિદ્યાસભા,લોકસભા કે રાજ્યસભાના ઉમેદવારની વય મર્યાદા નક્કી હોવી જોઈએ.જો વયમર્યાદા નક્કી થાય તો યુવાનોમાં ઉત્સાહ રહે.
અમદાવાદ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. જેને લઈને શહેર ભાજપ પ્રભારી આઈ કે જાડેજા એ સાંસદો, ધારાસભ્યોને આપી સૂચના. મતદાન વધે તે માટે તમામ આગેવાનોને સૂચના આપવામાં આવી છે.બાકીના કલાકોમાં વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓને વધુ મતદાન કરાવવા દોડાવ્યા
અમદાવાદ 18.58% મતદાન
રાજકોટ 22.70% મતદાન
સુરત. 23.58% મતદાન
વડોદરા 23.47% મતદાન
ભાવનગર. 23.91% મતદાન
જામનગર 28.05% મતદાન
સૌથી વધુ જામનગરમાં 28.05 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 18.58 ટકા મતદાન થયું છે.
લોકશાહીના પર્વમાં વડોદરા પોલીસની માનવતાના દર્શન થયા છે.અનેક કેન્દ્રો પર પોલીસ જવાનોએ વૃદ્ધ મતદારોને મદદ કરી છે.પોલીસ જવાનોની કામગીરીથી વૃદ્ધ મતદારોમાં આનંદ છવાઈ ગયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે યુએન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાદ રાજકોટ મતદાન કરવા જતા પહેલા તેનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રૂપાણી ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ મતાધિકારનો કર્યો ઉપયોગ. વજુભાઇએ રાજકોટ આવીને મતદાન કરીને મતાધિકાર ઉપયોગ કર્યો હતો.
6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે મતદાન. 2 વાગ્યા સુધી અંદાજે 25 ટકા મતદાન છે. લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે.
અમદાવાદના ગ્યાસપુરના બુથ નંબર 3ના ઇવીએમમાં ખામી સર્જાઈ છે. 10 નંબરના ઉમેદવાર નું બટન 3 વાર દબાવ્યા બાદ થઇ રહ્યું છે મતદાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના મતદાન સમયે ક્ષતિ સામે આવી. ધારાસભ્ય એ ઇવીએમ બદલવા કરી માંગ. ગ્યાસપુર બુથ નંબર 3 પર રી-પોલ માંગ કરી છે.
જામનગર વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર ફિરોઝ પાતાણી ધોડેસવારી કરીને મતદાન મથક પર પહોચ્યા છે.ફિરોઝ પાસે માલિકીની અનેક ધોડાના તેની પાસે છે. ધોડેસવારીનો શોખ ધરાવતા હોય આજે મતદાનના દિવસે પણ ધોડેસવારી કરીને મતદાન મથક સુધી પહોચ્યા હતા.
વડોદરામાં ટી સંચાલક દ્વારા અનોખી સ્કીમ રાખવામાં આવી છે. વડોદરામાં જે લૂક મતદાન કરીને આવે છે તે લોકોને મફત ચા આપવામાં આવે છે. પાલિકાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ટી સંચાલક દ્વારા અનોખી સ્કીમ રાખવામાં આવી છે.
પાલડીના અશોકનગરમાં આવેલ હેમરાજ સ્કૂલમાં ખોટવાયેલું EVM બદલવામાં આવ્યું. બુથ નં-64માં ખોટવાયું હતું EVM.દોઢ કલાક બાદ મતદાન શરૂ થયું હતું.અનેક મતદારો મતદાન કર્યા વિના જ પરત ફર્યા હતા.
પાલડી વોર્ડના ભાજપ ઉમેદવારની વર્તણુંક સામે પ્રશ્નાર્થ. પ્રીતિષ મહેતાની તસ્વીરથી થયો વિવાદ. મત કુટીર નજીક જ કર્યું ફોટો સેશન. મતદાન કરીને કક્ષમાં જ વિકટરી સિમ્બોલ દર્શાવ્યો હતો.
રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવે અને ગાયક કિર્તીદાન ગઢવીએ મતદાન કર્યુ છે.
અમદાવાદ સરકારી શાળામાં દિવ્યાંગ દંપતીએ મતદાન કરી ફરજ અદા કરી છે. મતદાન કર્યા બાદ દિવ્યાંગ દંપતીએ ચૂંટણી અધિકારી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. આ દંપતીએ જણાવ્યું હતું કે, મતદાન મથક પર દિવ્યાંગ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી નથી.
અમદાવાદના પાલડી અશોકનગરમાં આવેલ હેમરાજ સ્કૂલમાં EVM ખોટવાયું છે. EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. EVM ખોટવાતા 1 કલાકથી મતદાન બંધ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બુથ બદલાઈ ગયું. બુથ બદલાઈ જતા મતદારો અટવાયા છે. 5 સોસાયટીના મતદારોનું બુથ ઘાટલોડિયાથી બદલી ચાંદલોડિયા ફાળવી દેવાયું છે.
સુરતમાં અલગ અલગ મતદાન મથકો પર અત્યારસુધી 20 બેલેટ યુનિટ અને 7 કન્ટ્રોલ યુનિટ બદલવામાં આવ્યા છે.
અમદાવાદમાં ઉંમરલાયક લોકો પણ મતદાન કરવા પહોંચ્યા હતા. ઠક્કરબાપાનગર વોર્ડમાં નોબેલ સ્કૂલ ખાતે 104 વર્ષના જમનાબેન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે.
અમદાવાદ મેઘાણીનગરમાં ભગવતી વિદ્યાલય મતદાન બુથ પાસે બોલાચાલી થતા મામલો ગરમાયો છે. એસીપી સહિત પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે.
કોંગ્રેસના વસ્ત્રાલ વોર્ડના ઉમેદવારે VM માં ગડબડી હોવાનો આક્ષેપ કર્યો છે. 2 નંબરનું બટન ન દબાતું હોવાના ગંભીર આક્ષેપ કર્યો છે.
વડોદરાના આજવા રોડ પર આદર્શ સ્કૂલમાં 68 વર્ષીય દિલીપ ભાઈ જોષીએ બીમાર હોય ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સમાં પહોંચી મતદાન કર્યું હતું.
ભાવનગરના ઘોઘા જકાત નાકા વિસ્તારના એક મતદાન બુથ પર વર- વધુ પહોંચ્યા હતા. વરરાજા અને વરકન્યા લગ્નના પોશાકમાં આવીનેમતદાન કર્યું હતું.
અભિનેતા મયુર વાકાણીએ અમદાવાદનાં રાજીવનગર ખાતે મતદાન કર્યું છે.
6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં સવારે 7થી 12 વાગ્યા સુઘીમાં અંદાજે 21 ટકા મતદાન થયું છે. કોરોના મહામારીને લઈને ઓછું મતદાન થયું છે.
સુરતમાં 9 માસના ગર્ભવતી રૂતા જીજ્ઞેશ ધોરાજીયાએ મતદાન કરીને પવિત્ર ફરજ નિભાવી હતી.
અમદાવાદ કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહે કર્યું મતદાન. આ સાથે જ કહ્યું હતું કે, પ્રજા હવે પરિવર્તન ઈચ્છે છે.
અમદાવાદ કોંગ્રેસના વિરોધપક્ષના નેતા કમળાબેન ચાવડાનો વોટ કરતો વિડીયો વાયરલ થયો છે.
કોંગ્રેસના નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ જામનગરના નવાગામ મતદાન મથકમાં પરિવાર સાથે મતદાન કર્યું છે.
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકે સહજાનંદ કોલેજ ખાતે મતદાન કર્યું છે. ભાજપ પર આક્ષેપ કર્યા છે.
ઘાટલોડિયામાં 78 વર્ષના શિવચરણ વર્માએ મતદાન કર્યું છે.અનેક મુશ્કેલી વચ્ચે પણ મતદાન કરવા પહોંચ્યા છે. વોકર સાથે મતદાન કરવા પહોંચ્યા છે.શિવચરણ વર્મા દરેક ચૂંટણીમાં અચૂક કરે છે મતદાન.
રાજકોટ લક્ષ્મીવાડી વિસ્તારમાં આપના બુથની બહાર આવેલા ટેબલ તોડફોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ દ્રારા તોડફોડ કર્યાનો આપનો આક્ષેપ.બનાવની ગંભીરતાને જોતા ભાજપના નેતા નિતીન ભારદ્રાજ સહિતના નેતાઓ પહોંચ્યા છે.
અમદાવાદ અમરાઈવાડી પાસે ઉત્કર્ષ સ્કૂલનો વીડિયો થયો વાયરલ. ભાજપે ડમી EVM રાખીને લોકોને મત કરવાનું સમજાવતો વિડીયો થયો વાયરલ.
ભાવનગરના ચિત્ર ફુલસરના મથક 21માં બોગસ વોટિંગનો આક્ષેપ. મહિલાના નામે કોઈ અન્ય મહિલા વોટિંગ કરી ગયાનો આક્ષેપ. અપક્ષ ઉમેદવાર મનહર રાઠોડે કરી ફરિયાદ.
જામનગર-દેવભૂમિ દ્વારકા સાંસદ પૂનમ માડમે મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી છે. પૂનમ માડમે નવાગામમાંથી મતદાન કર્યું છે.
રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા ઉમેદવાર જાહેર થનાર રામભાઈ મોકરિયાએ મતદાન કરી ફરજ નિભાવી છે.
રાજ્યની 6 મહાનગર પાલિકામાં હાલ મતદાન ચાલી રહ્યું છે. મતદાનને 3 કલાક પૂર્ણ થઇ ગયા છે. જેમાં સુરતમાં 18 ટકા, રાજકોટમાં 17 ટકા , ભાવનગરમાં 20 ટકા, જામનગરમાં 18 ટકા, વડોદરામાં 19 ટકા, અમદાવાદમાં 18 ટકા મતદાન થયું છે.
અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાને 4 કલાક પૂર્ણ થયા છે.
રાજકોટમાં કે.જી ધોળકિયા સ્કૂલના ઈવીએમમાં ખામી જોવા મળી છે. આ બાદ તુરંત જ મતદાન અટકાવી દેવામાં આવ્યું છે.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું છે.
ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરા મતદાન મથકએ પરિવાર સાથે મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી.
ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા છે.
સુરતના સાંસદ દર્શના જરદોશે મતાધિકારનો ઉપયોગ કરીને પવિત્ર ફરજ નિભાવી છે.
અમદાવાદની વસ્ત્રાલની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે EVM સામે વાંધો ઉઠાવ્યો છે. ગરબડીની શંકા વ્યકત કરી છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી.
રાજ્યમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનના 3 કલાક પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સરેરાશ 8 ટકા મતદાન થયું છે.
ભાવનગરમાં જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. આ સાથે જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયા વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા.
અમદાવાદમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમિને મતદાન કર્યું છે.
અમદાવાદમાં વરરાજાએ લગ્ન કરવા જતા પહેલા મતદાનની ફરજ નિભાવી હતી.
અમદાવાદ ધારાસભ્ય શૈલેષ પરમારે પરિવાર જનો સાથે મતદાન કર્યું છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પરિવારજનો સાથે કર્યું મતદાન.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી સાંજે મુખ્યમંત્રી સાથે જ કરશે મતદાન. વિજય રુપાણી ત્રણ વાગ્યે યુએન મહેતા હોસ્પિટલથી એર એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા રવાના થશે. વિજય રૂપાણી મતદાન કર્યા બાદ ફરીથી હોસ્પિટલમાં થઇ શકે છે દાખલ.
રાજકોટના રાજવીએ પરિવાર સાથે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
વડોદરામાં વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પરિવાર સાથે મતદાન કર્યું હતું
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું છે.
રાજકોટમાં EVM ખોટવાયું છે. રાજ સ્કૂલના મતદાન મથકમાં ખોટવાતાં તાત્કાલિક બદલવામાં આવ્યું છે.
ગંગાબાઈ સ્કૂલ મતદાન મથકમાં EVM ખોટવાયું. તાત્કાલિકબદલવામાં આવ્યુ.
વડોદરા સાંસદ રંજન બેન ભટ્ટએ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ થોડી જ વારમાં મતદાન કરવા પહોંચશે
જામનગર કલેકટર રવિશંકરએ મતદાનમથક પર જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ કર્યો મતાધિકારનો ઉપયોગ.
રાજ્યમાં 2 કલાકમાં સરેરાશ 8 ટકા મતદાન થયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના 2 કલાક પૂર્ણ થયા છે. આ 2 કલાકમાં મતદારો નિરુસ્તાહ જોવા મળ્યા છે. 6 મહાનગરપાલિકા મતદાન ધીમું થઇ રહ્યું છે.
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે કર્યું મતદાન.
Published On - 6:11 pm, Sun, 21 February 21