ઘાસચારા કૌભાંડ કેસમાં સજા ભોગવી રહેલા આરજેડી પ્રમુખ LALU PRASAD YADAVની જામીન અરજી ઝારખંડ હાઈકોર્ટે નામંજૂર કરી છે. ઘાસચારા કૌભાંડની દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર નાણા ઉપાડવાના કેસમાં લાલુ યાદવને સીબીઆઈ કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. છેલ્લી સુનાવણી દરમિયાન CBIના વકીલને સમય આપવા વિનંતી કરવામાં આવી હતી, જેના કારણે કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
CBIએ કર્યો હતો જામીન અરજીનો વિરોધ
ઘાસચારા કૌભાંડમાં LALU PRASAD YADAV વિરુદ્ધ 5 કેસ ચાલી રહ્યા છે, જેમાંથી તેમને ચાર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આ ચારમાંથી ત્રણ કેસમાં તેને જામીન મળી ચૂક્યા છે. એક કેસમાં સીબીઆઈ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. લાલુપ્રસાદ યાદવની વકીલ વતી અરજીએ કહ્યું હતું કે તેમણે જેલમાં 42 મહિના, 28 દિવસની કસ્ટડી પૂર્ણ કરી હતી, તેથી જામીન મળવા જોઈએ.
કોર્ટમાં લાલુ પ્રસાદના વકીલ વતી અડધી સજા પૂર્ણ થવાની માહિતી આપતાં જામીન માટે વિનંતી કરવામાં આવી હતી. બીજી તરફ સીબીઆઈએ જામીનનો વિરોધ કર્યો હતો. સીબીઆઈએ કહ્યું કે લાલુ યાદવની અડધી સજા હજી પૂરી થઈ નથી અને તેના કારણે તેમને જામીન મળી શકશે નહીં.
ઘાસચારા કૌભાંડનો સમગ્ર મામલો
ડિસેમ્બર 2017થી જેલમાં રહેલા લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ કેસમાં ભારતીય દંડ સંહિતા હેઠળ સાત વર્ષ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસ 1991થી 1996ની વચ્ચે પશુપાલન વિભાગના અધિકારીઓ વતી દુમકા ટ્રેઝરીમાંથી 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે. તે દરમિયાન લાલુ યાદવ બિહારના મુખ્યપ્રધાન હતા.
આ પણ વાંચો: PM મોદીએ Visva Bharatiના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા, કહ્યું નિર્ણય લેવામાં ડરશો નહીં