Gujarati NewsPoliticsGujarat temples are not safe that found when government accept in assembly question gujarat na mandir pan surkhshit nathi vidhansabha na prashna ma sarkare swikaryu
ગુજરાતમાં બીજા કોઈ સુરક્ષિત હોય કે નહીં પણ મંદિરો તો સુરક્ષિત છે જ નહીં. સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નમાં જે જવાબ આપ્યો તેના પરથી તારણ મેળવી શકાય છે કે ગુજરાતના મંદિરો તો સુરક્ષિત છે જ નહીં. અયોધ્યમાં રામ મંદિર બનાવવાના બણંગા પોકારતી ભાજપ સરકાર ઘર આગંણે જ મંદિરોમાં ચોરી અને લુટની ઘટનાઓ અટકાવવામાં નિષ્ફળ નિવડી […]
Follow us on
ગુજરાતમાં બીજા કોઈ સુરક્ષિત હોય કે નહીં પણ મંદિરો તો સુરક્ષિત છે જ નહીં. સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નમાં જે જવાબ આપ્યો તેના પરથી તારણ મેળવી શકાય છે કે ગુજરાતના મંદિરો તો સુરક્ષિત છે જ નહીં.
અયોધ્યમાં રામ મંદિર બનાવવાના બણંગા પોકારતી ભાજપ સરકાર ઘર આગંણે જ મંદિરોમાં ચોરી અને લુટની ઘટનાઓ અટકાવવામાં નિષ્ફળ નિવડી રહી છે, એ વાત ગુજરાત વિધાનસભામાં જે આંકડાઓ અપાયા તેના ઉપરથી સાબિત થાય છે. ગુજરાત વિધાનસભાનું ટુંકુ સત્ર પુર્ણ થઇ ગયુ છે ત્યારે આ સત્ર દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સવાલ કર્યો હતો કે રાજ્યમાં કેટલા મંદિરોમાં ચોરી થઇ હતી ? લૂંટ કે તસ્કરીના કેટલા કેસો નોધાય છે? ત્યારે સરકારે જે આંકડાઓ આપ્યા તે મુજબ છેલ્લાં 4 વર્ષમાં 614 મંદીરમાં ચોરી, 25 મંદિરોમાં લૂંટ થઇ છે. આ બધી ઘટનાઓમાં સવા ત્રણ કરોડની સંપતિની ચોરાઇ અને લૂંટાઇ ગઇ છે જેમાં 65 લાખ રોકડા, જ્યારે 2,65 કરોડના દાગીનાનો સમાવેશ થાય છે.
સરકારે જવાબમા એમ પણ જણાવ્યુ છે કે આ ઘટનાઓ પ્રતિ પોલીસ ગંભીર છે, જેના કારણે 511 આરોપીઓની આ કેસમાં ધરપકડ થઇ છે. સાથે આવી ઘટનાઓ રોકવા માટે મંદિરોની આજુબાજુ પોલીસની પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આવા કેસોમાં લિપ્ત હિસ્ટ્રીસીટર્સ પણ નજર રખાઇ રહી છે. આમ સરકારે પોતાના બચાવ માટે તમામ દાવાઓ તો રજુ કર્યા છે પણ જે રીતે દર વરસે લૂંટારુઓ અને તસ્કરો મંદિરને નિશાન બનાવી રહ્યા છે તે જરુરથી ચિંતાજનક બાબત છે.