શું ભાજપમાં વધી રહ્યું છે શંકર ચૌધરીનું કદ? જાણો કેવી રીતે થશે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કસોટી?

|

Sep 26, 2020 | 4:05 PM

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી કોગ્રેસ કરતાં ભાજપ માટે મહત્વની બની રહેવાની છે.  સુત્રો કહે છે આ પેટા ચૂંટણી ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ અને સીએમ સુધીના નેતાઓને અસર કરી શકે છે તો ભાજપના નેતા શંકર ચૌધરી માટે પણ આ ચૂંટણી મહત્વની રહેશે. ભાજપે પેટા ચૂંટણીની તૈયારીના ભાગ રુપે સરકારના સિનિયર પ્રધાન અને સંગઠનના […]

શું ભાજપમાં વધી રહ્યું છે શંકર ચૌધરીનું કદ? જાણો કેવી રીતે થશે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કસોટી?

Follow us on

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી કોગ્રેસ કરતાં ભાજપ માટે મહત્વની બની રહેવાની છે.  સુત્રો કહે છે આ પેટા ચૂંટણી ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ અને સીએમ સુધીના નેતાઓને અસર કરી શકે છે તો ભાજપના નેતા શંકર ચૌધરી માટે પણ આ ચૂંટણી મહત્વની રહેશે. ભાજપે પેટા ચૂંટણીની તૈયારીના ભાગ રુપે સરકારના સિનિયર પ્રધાન અને સંગઠનના સિનિયર પદાધિકારીઓની નિમણૂંક કરી છે.  મહત્વની વાત એ છે કે આ 16 સરકાર અને સંગઠનના સિનિયર નેતાઓનું શંકર ચૌધરી અને ભાર્ગવ ભટ્ટને સંકલન કરવાનુ છે. આ માહિતી ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આપી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેની વિગત જાણીએ તો અબડાસામાં ભુપેન્દ્ર ચુડાસમા અને કે.સી પટેલ, લીમડીમાં આર. સી. ફળદુ અને નીતિન ભારદ્વાજ, કરજણમાં પ્રદીપસિંહ જાડેજા  અને શબ્દ શરણ બહ્મભટ્ટ, ડાંગમાં ગણપત વસાવા અને પુર્ણેશ મોદી, કપરાડામાં ઈશ્વર સિહ પટેલ અને ભરતસિંહ પરમાર, મોરબીમાં સૌરભ પટેલ અને આઈ. કે. જાડેજા, ગઢડામાં કુંવરજીભાઈ બાવળીયા અને ગોરધન ઝડફિયા, ધારીમાં ધર્મન્દ્ર સિહ જાડેજા અને ધનસુખ ભંડેરીને સૂકાન આપવામાં આવ્યું છે.  મહત્વની વાત એ છે શંકર ચૌધરી અને ભાર્ગવ ભટ્ટની જવાબદારી પ્રદેશ અને કેન્દ્રીય મોવડી મંડળ સાથે સંકલનની રહેશે.

ભાજપના સૂત્રો મુજબ સંગઠનમાં જીતુ વાઘાણીને વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી પ્રદેશ અધ્યક્ષ તરીકે યથાવત રખાય તેવી સંભાવના પ્રબળ છે. આ સમયમાં આઠેય વિધાનસભાની સંકલનની જવાબદારી શંકર ચૌધરીને સોંપીને સિનિયર નેતાઓ કસોટી કરવા માંગે છે.  આમ તો આઠેય વિધાનસભા જીતાડવાની જવાબદારી હવે શંકર ચૌધરીની છે તેમ માની શકાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો શંકર ચૌધરી તેઓ આ કાર્યમાં સફળ થાય તો તેમને જીતુ વાઘાણીની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોપી શકાય છે. બીજી તરફ પક્ષના કેટલાક નેતાઓ માને છે કે રાધનપુરની પેટા ચૂંટણીમાં જે રીતે અલ્પેશ ઠાકોર અંગે પરિણામો આવ્યા તે ટાસ્ક પણ શંકર ચૌધરીએ સારી રીતે પુર્ણ કર્યો હતો.  જો કે અત્યારે તો બીજેપીના નેતાઓ માને છે તમામ સીટ જીતવા માટે તૈયારી થઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ તો રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવી માને છે કે જો પ્રદેશ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી જેવા OBC નેતા સ્થાન પામે તો જાતિગત સમીકરણો બેલેન્સ કરવા માટે સીએમ તરીકે વિજય ભાઇ રુપાણીનો વિકલ્પ મોવડી મંડળે શોધવો પડે. જો પાટીદાર પ્રદેશ અધ્યક્ષ બને તો તેમની ખુરશીને કોઈ જોખમ નથી.  છતાં જે રીતે હાલ શંકર ચૌધરીને આઠેય પેટા ચૂંટણીના સંકલનની જવાબદારી સોંપાઇ છે તેને લઈને સંગઠન અને સરકારમાં ગણગણાટ શરુ થઇ ગયો છે કે હાલની કામગીરી ભવિષ્યમાં અનેક સંભાવનાઓને જન્મ આપશે અને અનેક નેતાઓ કપાશે તો અનેકને લોટરી લાગી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:29 pm, Wed, 1 July 20

Next Article