Gujaratના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકીના નામે ચાર વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. જો કે તેમના નિધનના પગલે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામા મળેલી કેબિનેટની બેઠકમા માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. તેમણે પોતાનો લુણાવાડાનો કાર્યક્રમ પણ રદ કર્યો હતો. ગુજરાતના સીએમ રૂપાણીએ તેમના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.જો કે માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી વિદેશ છે. તેના લીધે તેમના અંતિમ સંસ્કાર તેમના આવ્યા બાદ આવતીકાલે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામા આવશે.