લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે એગ્ઝિટ પોલ વિશે કહ્યું હતું કે આ વાસ્તવિક પરિણામો નથી.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “એગ્ઝિટ પોલ વાસ્તવિક પરિણામો નથી હોતા. આપણે એ સમજવું જોઇએ. 1999થી મોટા ભાગના એગ્ઝિટ પોલ ખોટા રહ્યાં હતા.” નાયડૂએ ગુંટુરમાં શુભચિંતકો સાથેની અનૌપચારિક બેઠકમાં આ વાત કરી હતી.
આ પણ વાંચો: આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ
વર્તમાન ચૂંટણીનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક પાર્ટીને (પોતાની જીત વિશે) ખાતરી હોય છે. વધુમાં કહ્યું કે “23 તારીખ સુધી દરેક પોતાનો આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. આનો કોઈ આધાર નથી હોતો. આ માંટે આપણે 23 તારીખ સુધી રાહ જોવી જોઈએ.”
નાયડુએ કહ્યું કે “દેશ અને રાજ્યને કુશળ નેતા અને સ્થિર સરકારની જરૂર છે.” ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સમાજમાં ફેરફારો રાજકીય પક્ષોના બદલાવ સાથે થવા જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]