‘આમ’ લોકોનો મસીહા જોડાશે આમ આદમી પાર્ટીમાં? અરવિંદ કેજરીવાલ સાથે સોનુ સૂદની બેઠકનું શું છે રહસ્ય?

|

Aug 27, 2021 | 10:36 AM

અભિનેતા સોનુ સૂદે શુક્રવારે દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. સોનુ સૂદ અને સીએમ કેજરીવાલની બેઠકનો રાજકીય અર્થ પણ કાવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ શું થઇ રહી છે અટકળો.

આમ લોકોનો મસીહા જોડાશે આમ આદમી પાર્ટીમાં? અરવિંદ કેજરીવાલ સાથે સોનુ સૂદની બેઠકનું શું છે રહસ્ય?
Delhi Actor Sonu Sood meeting with CM Arvind Kejriwal discussion about joining AAP party

Follow us on

સવારે દિલ્હીમાં અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) અને સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) વચ્ચે બેઠક થઈ હતી. સોનુ સૂદ અને સીએમ કેજરીવાલની બેઠકનો રાજકીય અર્થ પણ કાવામાં આવી રહ્યો છે. જો કે અભિનેતા કે આમ આદમી પાર્ટી તરફથી આ બેઠક અંગે કશું કહેવામાં આવ્યું નથી. જોકે બેઠક બાદ સોનુ અને અરવિંદ કેજરીવાલે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું કે આ બેઠકમાં શું વાત થઇ છે.

સોનુ સૂદ કોરોના વાયરસની પ્રથમ લહેરથી લોકોને મદદ કરી રહ્યો છે. લોકડાઉન દરમિયાન, તેણે અન્ય શહેરોમાં ફસાયેલા સેંકડો લોકોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી. સોનુ સૂદે અત્યાર સુધી ઘણા લોકોનો જીવ બચાવ્યો છે. સાથે જ સોનુ સૂદ અને સીએમ કેજરીવાલની મુલાકાતનો રાજકીય અર્થ પણ કાવામાં આવી રહ્યો છે. જો કે અભિનેતા કે આમ આદમી પાર્ટી તરફથી આ બેઠક અંગે કશું કહેવામાં આવ્યું નથી. તે જ સમયે, અમે આ બેઠકને પંજાબ વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યા છીએ.

પંજાબમાં શક્યતાઓ શોધી રહી છે AAP

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબ પણ તે રાજ્યોમાંનું એક છે. આમ આદમી પાર્ટી પંજાબમાં શક્યતાઓ શોધી રહી છે. આ પ્રકરણમાં સીએમ કેજરીવાલ પૂર્વ મંત્રી અને એસએડી નેતા સેવાસિંહ સેખવાનને પણ મળ્યા હતા. આમ આદમી પાર્ટી પંજાબમાં મોટો ચહેરો ઉમેરવા માંગે છે.

હું એક સામાન્ય માણસ છું, મસીહા નથી

કોરોના સમયગાળા દરમિયાન સોનુ સૂદના કામથી પ્રભાવિત થઈને તેની મૂર્તિઓ ઘણી જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે. તેમની આત્મકથા ‘મૈ મસીહા નહીં’ માં લખ્યું છે કે હું એક સામાન્ય માણસ છું, મસીહા નથી. આ માતા તરફથી મળેલા સંસ્કાર છે.

સોનુ સૂદ આમ આદમી પાર્ટીનો ચહેરો બનશે?

સોનુ સૂદ પંજાબના મોગાનો રહેવાસી છે. જો સોનુ આ સમયે આમ આદમી પાર્ટીમાં જોડાય, તો વિપક્ષ તરફથી તેના નામે પ્રશ્નો ઉઠાવી શકાય નહીં. આમ આદમી પાર્ટી સોનુ સૂદને પંજાબમાં મોટા ચહેરા તરીકે લઈ શકે છે. સાથે જ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી સોનુ સૂદને મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે.

શું છે બેઠક પાછળનું રહસ્ય?

આ ઘટનામાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે, બેઠક બાદ અરવિંદ કેજરીવાલ અને સોનુ સૂદે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે ‘સોનુ સૂદ ‘દેશ કે મેન્ટોર’ કાર્યક્રમ માટે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનવા સંમત થયા છે. તેમણે કહ્યું છે કે સોનુ પણ કેટલાક બાળકોના મેન્ટોર બનશે.

સોનુ સૂદ BMC ની ચૂંટણીને લઈને પણ ચર્ચામાં

તાજેતરમાં જ એક અહેવાલ આવ્યા હતા કે કોંગ્રેસની આંતરિક સમિતિએ BMC 2022 ની ચૂંટણી માટે સોનુ સૂદ, મિલિંદ સોમન અને રિતેશ દેશમુખના નામો પર ચર્ચા કરી છે. આટલા મોટા સમાચાર બહાર આવ્યા બાદ એવી અટકળો થવા લાગી કે કોંગ્રેસે આ સ્ટાર્સ સાથે ચૂંટણી અંગે વાત કરી છે. જોકે આમાં કોઈ સત્ય હતું નહીં. અભિનેતાએ પણ આ વાતને નકારી કાઢી હતી.

 

આ પણ વાંચો: 83 Release date: શું આ વર્ષે રિલીઝ થઈ શકશે રણવીર-દીપિકાની ફિલ્મ 83? કબીર ખાને આપ્યો જવાબ

આ પણ વાંચો: Birthday Special: લગ્ન પહેલા આ 3 સેલેબ્સને ડેટ કરી ચૂકી છે નેહા ધૂપિયા, આ મોટા ક્રિકેટરનું નામ પણ લીસ્ટમાં

Published On - 10:15 am, Fri, 27 August 21

Next Article