અરૂણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના ઘોષણાપત્રમાં એક પેજ જમ્મુ-કાશ્મીર માટે છે, પરંતુ કાશ્મીરી પંડિતો માટે એક શબ્દ પણ લખાયો નથી. ઉપરાંત કોંગ્રેસ કાશ્મીરમાં સેનાને કમજોર અને પથ્થરમારોને મજબૂત કરી રહી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, ન્યાય યોજના પણ અફવાહ છે. કારણ કે તેના માટે ફંડ ક્યાંથી આવશે તેનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વધુમાં તેમણે કહ્યું કે જીએસટીમાં એક સરખો ટેક્ષ લગાવવો તે પણ ખોટુ પગલું છે.
ઘોષણાપત્ર જોઈને એવુ લાગે છે કે, આ રાહુલ ગાંધીના ટુકડાઓ વાળી ગેગં દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની એકતાના વિરોધમાં અને દેશના ટુકડા કરવાની વાત છે. અરૂણ જેટલીએ કહ્યું કે, ઘોષણાપત્રનુ માનિએ તો, હવે સેનાના અધિકારી પર પણ સરકારી મંજુરી વિના ગુનો દાખલ થઈ શકે છે. જો એવુ થાય તો આંતકવાદીને પકડવા પર તેમના સંગઢનો પણ આરોપ લગાવે છે.
ઘોષણાપત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આઈપીસી ની કલમ 124- એ હટાવી દેવાશે અને દેશદ્રોહ કરવાનો કોઈ ગુનો નહી રહે. જે પાર્ટી આવી જાહેરાત કરે છે. તે તે એક પણ વોટના હકદાર નથી. વધુમાં કહ્યું કે કોગ્રેસનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓ કરી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]