ગુજરાત સરકારે ઓછો વરસાદ ધરાવતા ઉતર અને મધ્ય ગુજરાતના જિલ્લામા ખેતીક્ષેત્રે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં ઓછો વરસાદ ધરાવતા જિલ્લામાં ખેતી માટે 10 કલાક વીજળી આપવા નિર્ણય કરાયો છે. આ વર્ષે ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદ ઓછો પડયો હોવાથી, ખેડૂતો પાક બચાવવા માટે ભારે ચિંતિત હતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ બહુ જ ઓછુ રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી 45 ટકા જ વરસાદ નોંધાયો છે. ખેતીક્ષેત્રે માટે 10 કલાક વીજળી આપવાના નિર્ણયથી અનેક ખેડૂતોને આંશિક રાહત મળશે. જે ખેડૂતોને ટ્યુબવેલની સુવિધા છે તેઓ નિર્ણયથી મળનારી 10 કલાક વીજળીનો ઉપયોગ ખેતરમાં ઉગાડેલા પાકને બચાવવા કરી શકશે..
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 10:55 am, Wed, 5 August 20