અમરેલીના તૂટેલા રસ્તાઓ અને શહેરની દુર્દશાથી ત્રસ્ત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં થાળી વગાડી કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવનો પ્રયાસ કર્યો છે.
અમરેલી શહેરની અતિશય બિસ્માર હાલત વિરુદ્ધ શહેરીજનો જંગે ચડ્યા છે. સરકારી તંત્ર સામે કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને ભાજપના જિલ્લા પૂવૅ પ્રમુખ ડૉ.કાનાબારે ઘંટનાદ કર્યો છે. તંત્ર તેમજ સરકારને જગાડવા રાજકમલ ચોક ખાતે રાજકીય આગેવાનો મહિલાઓ અને શહેરીજનો દ્વારા કરવામાં તંત્રના કાને વાત પહોંચાડવા આમ કરવામાં આવ્યું.
અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ તેમાં જોડાયા. આગામી 3 દિવસ સુધી ‘અમરેલી બચાવો નાગરિક અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. ઉપરાંત સૌએ ભેગા મળીને આગામી 8 ફેબ્રુઆરીના રોજ અમરેલી શહેર બંધનુ એલાન પણ આપ્યું છે.
[yop_poll id=1170]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]