2 કે તેથી વધારે બાળકો પેદા કરવાની અપીલ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ કરી, પરંતુ કારણ એવું જણાવ્યું કે તમે વિચારતા થઈ જશો!

|

Jan 26, 2019 | 2:42 PM

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પોતાના રાજ્યના લોકોથી એક અપીલ કરીને કહ્યું કે આપણે હાલના સમયને ધ્યાનમાં રાખીને વસ્તી-નિયંત્રણની નીતિને અલવિદા કહી દેવું જોઈએ. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે જો રાજ્યની વસ્તી ઓછી હશે તો તેના લીધે રાજ્યના વિકાસ પર વિપરીત અસર પડશે. યુવાનોની ઓછી સંખ્યાના કારણે રાજ્યમાં વિકાસનો દર ઘટી જશે. Web Stories View more સરકારી […]

2 કે તેથી વધારે બાળકો પેદા કરવાની અપીલ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ કરી, પરંતુ કારણ એવું જણાવ્યું કે તમે વિચારતા થઈ જશો!

Follow us on

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પોતાના રાજ્યના લોકોથી એક અપીલ કરીને કહ્યું કે આપણે હાલના સમયને ધ્યાનમાં રાખીને વસ્તી-નિયંત્રણની નીતિને અલવિદા કહી દેવું જોઈએ.

ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે જો રાજ્યની વસ્તી ઓછી હશે તો તેના લીધે રાજ્યના વિકાસ પર વિપરીત અસર પડશે. યુવાનોની ઓછી સંખ્યાના કારણે રાજ્યમાં વિકાસનો દર ઘટી જશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચંદ્રા બાબુ નાયડુએ અમરાવતી શહેરમાં મહિલાઓના એક સ્વયં સહાયતા સમૂહને સંબોધિત કરતા કહ્યું કે અમારી સરકાર એવા દંપતિઓને પ્રોત્સાહન આપશે જે ત્રણથી ચાર બાળકો પેદા કરશે. તેમણે રાજ્યના જૂના નિયમ જે રાજ્યની સ્થાનિક ચુંટણીઓમાં લાગુ છે કે બે કરતાં વધારે બાળકો હોય તે ચુંટણી ન લડી શકે તેને પણ બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે મેં હંમેશા 1-2 છોકરા હોય તેવા પરિવારની વકાલત કરી છે. પરંતું હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આપણે પોતાની જ પોલીસી પર ફેરવિચારણા કરવી પડશે અને તેમાં બદલાવ પણ લાવવો જોઈશે.

ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે આપણાં આંધ્રપ્રદેશની ઉપેક્ષા એટલાં માટે જ કરવામાં આવે છે કારણ કે આપણી વસ્તી નિયંત્રણની નીતિને અપનાવેલી છે. તેમણે ક્હ્યું કે કેન્દ્ર સરકાર પણ એવા જ રાજ્યને સ્પેશિયલ પેકેજ આપવામાં અગ્રિમતા આપે છે જેની વસ્તી વધારે હોય. આવા પેકેજ આંધ્રપ્રદેશને નથી મળી શકતાં કારણ કે આપણે રાજ્યની વસ્તી ઓછી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે દેશના વિકાસની જવાબદારી યુવાનોના ખભા પર છે તેથી યુવાનોએ આ બાબતે યોગદાન આપવું જોઈએ.

TV9 Gujarati

 

[yop_poll id=833]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article