12 પેજના અહેવાલ સાથે વાયુસેનાએ એર-સ્ટ્રાઈકના તમામ પુરાવાઓ સરકારને સોંપ્યા, સરકાર હવે નક્કી કરશે કે અહેવાલને જાહેર કરવો કે નહીં?

|

Mar 06, 2019 | 10:02 AM

એર સ્ટ્રાઈકના પુરાવા તરીકે તમામ તસવીરો સરકારને સોંપવામાં આવી. વધુમાં કેવી રીતે નિશાના ચોક્ક્સ ટાર્ગેટ પર જ લાગ્યા તેની પણ માહિતી આપવામાં આવી છે. આતંકી અડ્ડાઓ પર થયેલી ઍર સ્ટ્રાઈકની ચર્ચા દેશમાં જોર શોરથી થઈ રહી છે. સૂત્રોનું કહેવુ માનીએ તો, બુધવારે ઍરફોર્સે કેન્દ્ર સરકારને ઍર સ્ટ્રાઈકના તમામ દસ્તાવેજ સોંપી દીધા છે. આ દસ્તાવેજમાં હુમલાની […]

12 પેજના અહેવાલ સાથે વાયુસેનાએ એર-સ્ટ્રાઈકના તમામ પુરાવાઓ સરકારને સોંપ્યા, સરકાર હવે નક્કી કરશે કે અહેવાલને જાહેર કરવો કે નહીં?

Follow us on

એર સ્ટ્રાઈકના પુરાવા તરીકે તમામ તસવીરો સરકારને સોંપવામાં આવી. વધુમાં કેવી રીતે નિશાના ચોક્ક્સ ટાર્ગેટ પર જ લાગ્યા તેની પણ માહિતી આપવામાં આવી છે.

આતંકી અડ્ડાઓ પર થયેલી ઍર સ્ટ્રાઈકની ચર્ચા દેશમાં જોર શોરથી થઈ રહી છે. સૂત્રોનું કહેવુ માનીએ તો, બુધવારે ઍરફોર્સે કેન્દ્ર સરકારને ઍર સ્ટ્રાઈકના તમામ દસ્તાવેજ સોંપી દીધા છે. આ દસ્તાવેજમાં હુમલાની તમામ તસવીરો પણ સોંપી દેવામાં આવી છે અને સાથે તે પણ જણાવી દેવામાં આવ્યું કે કેવી રીતે મોટા ભાગના બોમ્બ નિશાના પર લાગ્યા હતાં.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સૂત્રોના મુજબ વાયુસેનાએ 12 પેજનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટના એ વિસ્તારની હાઈ રિજોલ્યૂએશન તસવીર પણ સોંપી છે. પરંતુ આ રિપોર્ટ જાહેર થશે કે કેમ તે અંગે નિર્ણય મોદી સરકાર લેશે.  ઍરફોર્સની રિપોર્ટ પ્રમાણે બાલાકોટમાં 80 ટકા નિશાના યોગ્ય લાગ્યા હતા.  વિમાન મારફતે જે બોમ્બ ફેંકવામાં આવ્યા તે બિલ્ડિંગના અંદર સુધી ગયા હતા. જેના કારણે નુકસાન યોગ્ય જગ્યાએ થયું છે. જે મિસાઈલોનો ઉપયોગ ઍર સ્ટ્રાઈકમાં કરવામાં આવ્યો તે ઈમારતની છત તોડીને ટાર્ગેટ પર વાગી હતી. ઉપરાંત રિપોર્ટમાં એ વાત નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બાલાકોટમાં તે સમયે હયાત તમામ ટાર્ગેટને નષ્ટ કરવામાં ઍરફોર્સને સફળતા મળી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article