ગુજરાતમાં ફરી એકવાર કૌભાંડનું ભૂત ધુણ્યું છે અને ખંભાતમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે. તેના પગલે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ખંભાતના આ ખાતર કૌભાંડને લઈને સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે “ખાતર કૌભાંડને લઈને સરકાર ગંભીર છે. આ કૌભાંડની ઉંડી અને સચોટ તપાસ માટે ACB અને આઈજીને સૂચના આપી દેવામાં આવી છે.” સાથે જ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કૌભાંડના મૂળ સુધી જઈને તપાસ કરવામાં આવશે અને જે પણ જરૂર જણાશે તે યોગ્ય પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો: Elon Musk: કોરોના અને આર્થિક મંદી પણ ન અટકાવી શકી વિકાસ યાત્રાને, IPO પછી TESLAના શેરમાં 23,900 ટકાનો વધારો