TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Dec 30, 2022 | 6:42 PM
ભારતના લોકો જ નહીં પરંતુ વિદેશના લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ભારતીય ભોજન ખાવાનું પસંદ કરે છે. ભારતીય મસાલાનો સ્વાદ એવો છે કે તેને ખાધા પછી દરેક વ્યક્તિ તેને પસંદ કરે છે. ભારતીય વાનગીઓને વિદેશીઓ ઘણા શોખથી ખાવાનું પસંદ કરે છે. તો આવો જાણીએ આ ભારતીય વાનગીઓ કઈ છે.
દાલ મખાની પંજાબની લોક પ્રિય વાનગી છે. જે લોકો શાકાહારી છે તેમના માટે આ એક ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. દાલ મખાનીને ધીમા તાપે રાંધવામાં આવે છે અને તે દાળને ટામેટાની પ્યુરી અને બટર સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે, જે વિદેશીઓને પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પાલક પનીરની વાત કરીએ તો તેને એક શાહી વાનગી તરીકે પણ ઓળખવામાં આવે છે. આની સાથે આ વાનગી ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. પાલક પનીર તેના હળવા મસાલાને કારણે વિશ્વની સૌથી લોકપ્રિય ભારતીય વાનગીઓમાંની એક માનવામાં આવે છે.
પાપડી ચાટ ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. જે નાના-મોટા સૌ કોઈની પ્રિય વાનગી છે. ભારતમાં પાપડી ચાટ રસ્તા પરની દુકાનોમાં બનાવવામાં આવે છે.
મસાલા ઢોંસાએ દક્ષિણ ભારતનો લોકપ્રિય ખોરાક છે. જેને અલગ - અલગ રીતે પણ બનાવવામાં આવે છે. આ વાનગી ચોખા અને દાળના મિશ્રણમાંથી તૈયાર કરેલા ખીરા માંથી બનાવવામાં આવે છે. વિદેશીઓ આ વાનગી પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે.