
1993માં યોગીજી ગોરખપુર આવ્યા હતા અને અહીં તેઓ ગોરખનાથ મંદિરના મહંત અવૈધનાથજીને મળ્યા હતા. મહંત અવૈધનાથજી તેમનાથી વાકેફ હતા. યોગીજીએ અવૈધનાથજી પાસેથી દીક્ષા લીધી અને 1994માં સાધુ બન્યા, જેના કારણે તેમનું નામ અજય સિંહ બિષ્ટથી બદલીને યોગી આદિત્યનાથ કરવામાં આવ્યું.

1998માં, યોગીજીએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પહેલીવાર ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને તેઓ જીત્યા. 12મી લોકસભા ચૂંટણીમાં તેઓ સૌથી યુવા સાંસદ હતા, તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. 1999ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના નામે સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ છે.

યોગી આદિત્યનાથ હિન્દુ યુવા વાહિનીના સ્થાપક પણ છે. હિન્દુ યુવા વાહિની સંગઠન એ હિન્દુ યુવાનોનું સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રવાદી જૂથ છે. 19 માર્ચ 2017 ના રોજ, તેઓ ઉત્તર પ્રદેશના 21મા મુખ્ય પ્રધાન બન્યા.
Published On - 10:56 am, Thu, 10 March 22