
યોગ એક્સપર્ટ દુર્ગાપ્રસાદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને યોગબોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાના સૂત્રને અનુસરી યોગ અને જાગરણ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

યોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુસર ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોએ આગળ આવવું જરુઋ બન્યું છે.